ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મુંબઈના પાલઘરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. પાલઘરના એસપીએ પણ આ અકસ્માતની પુષ્ટિ કરી છે, એસપી બાલાસાહેબ પાટીલે જણાવ્યું કે ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રવિવારે પાલઘરના ચરોટીમાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. એસપીએ જણાવ્યું કે જ્યારે તેમની મર્સિડીઝ અમદાવાદથી મુંબઈ પરત ફરી રહી હતી ત્યારે સૂર્યા નદી પર બનેલા પુલ પર આ ઘટના બની હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે અને અન્ય બે ઘાયલ લોકો હોસ્પિટલમાં દાખલ છે. સાયરસ મિસ્ત્રીની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ વાહનમાં સવાર 4 લોકોમાંથી બેના મોત થયા હતા.
આ સાથે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોલીસને સાયરસ મિસ્ત્રીના માર્ગ અકસ્માતની વિગતવાર તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ અકસ્માત સમયે કારમાં ચાર લોકો સવાર હતા, જેમાંથી જહાંગીર દિનશા પંડોલ અને સાયરસ મિસ્ત્રીના મોત થયા છે. જયારે અન્ય બે લોકો અનાયતા પંડોલે (મહિલા) અને દર્યાસ પંડોલે ઘાયલ થયા છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર, નદીના પહેલા પુલ પર ડિવાઈડર હતું, બપોરે ત્રણ વાગ્યાની આસપાસ કાર ખૂબ જ સ્પીડમાં હતી અને અચાનક બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાઈ અને બેઠેલા સાયરસ મિસ્ત્રી કારમાં મૃત્યુ પામ્યા. પોલીસના જણાવ્યા અનુસાર, ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું જ્યારે તેમની કાર અમદાવાદથી મુંબઈની મુસાફરી દરમિયાન ડિવાઈડર સાથે અથડાઈ હતી.
Cyrus Mistry, former Chairman of Tata Sons, while travelling from Ahmedabad to Mumbai, died in a road accident after his car hit a divider. 4 people were present in the car; 2 died on spot & 2 were moved to hospital: Palghar police officials pic.twitter.com/nOlhZcKUZA
— ANI (@ANI) September 4, 2022
પાલઘર પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સાયરસ મિસ્ત્રીના મોતના મામલામાં પહેલીવાર એવું લાગે છે કે કાર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. સાયરસ મિસ્ત્રીનો મૃતદેહ કાસાની સરકારી હોસ્પિટલમાં છે. પોલીસ દ્વારા આકસ્મિક મૃત્યુ રિપોર્ટ (ADR) પ્રક્રિયા મુજબ દાખલ કરવામાં આવી રહી છે.
સાયરસ મિસ્ત્રીના નિધન પર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું, “ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના નિધન વિશે સાંભળીને આઘાત લાગ્યો. તેઓ માત્ર એક સફળ ઉદ્યોગસાહસિક જ નહોતા પરંતુ ઉદ્યોગમાં એક યુવાન, તેજસ્વી અને સ્વપ્નદ્રષ્ટા વ્યક્તિત્વ તરીકે પણ જોવામાં આવતા હતા. આ બહુ મોટી ખોટ છે, મારી હાર્દિક શ્રદ્ધાંજલિ.”
Cyrus Mistry’s death | Prima facie, it looks like the car driver lost control. Cyrus Mistry’s mortal remains are at a govt hospital in Kasa. An Accidental Death Report (ADR) is being filed by the police, as per procedure: Palghar Police sources
— ANI (@ANI) September 4, 2022
જયારે સાયરસ મિસ્ત્રીના નિધન પર શોક વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું – સાયરસ મિસ્ત્રીનું અકાળે નિધન આઘાતજનક છે. તેઓ એક આશાસ્પદ બિઝનેસ લીડર હતા જેઓ ભારતની આર્થિક શક્તિમાં વિશ્વાસ રાખતા હતા. તેમના અવસાનથી વાણિજ્ય અને ઉદ્યોગ માટે મોટી ખોટ છે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના, તેમની આત્માને શાંતિ મળે.