રાહુલ ગાંધી આ દિવસોમાં દક્ષિણ ભારતના પ્રવાસે છે. અહીં તે ભારતીય જનતા પાર્ટી અને તેના સહયોગી પક્ષો પર સતત પ્રહાર કરી રહ્યા છે, પરંતુ આજે રાહુલ ગાંધી તમિલનાડુની એક શાળામાં શાંત વાતાવરણમાં જોવામાં મળ્યા છે. તેઓ તમિળનાડુના મૂલગુમુદનની એક શાળામાં વિદ્યાર્થીઓ સાથે ડાન્સ કરતા જોવા મળ્યા છે. આ દરમિયાન, જેમણે પણ રાહુલ ગાંધીનો આ અંદાજ જોયો, તેઓ પોતાના મોબાઇલ કેમેરામાં આ દૃશ્ય કેપ્ચર કરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા. તો ચાલો આપને રાહુલ ગાંધીનો ડાન્સ વિડીયો પણ બતાવીએ.
આ પણ વાંચો : વેક્સિનને લઈને ભ્રમ ફેલાવી રહ્યા છે ઓવૈસી? સરકાર પાસે માંગી આ સ્પષ્ટતા
અગાઉ રાહુલ ગાંધીએ ભાજપ અને તેના સહયોગી પક્ષોને નિશાન બનાવતા કહ્યું હતું કે તમિળનાડુમાં એવી વ્યક્તિ શાસન કરશે, જે ખરેખર તમિળ સંસ્કૃતિ અને તેના લોકોનું પ્રતિનિધિત્વ કરતી હોય. રાહુલ ગાંધી તમિલનાડુમાં ચૂંટણી પ્રચારના ભાગ રૂપે કન્યાકુમારીમાં એક રોડ શો કરી રહ્યા હતા. તેઓ રાજ્યના ત્રણ દિવસીય પ્રવાસ પર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ લોકોને મોદી અને સંઘ પરિવારને રાજ્યની સંસ્કૃતિ અને પરંપરાઓનું તમિલનાડુના લોકોનું અપમાન ન થવા દેવાની હાકલ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, દેશભરની અન્ય ભાષાઓ અને સંસ્કૃતિની જેમ, તમિળ સંસ્કૃતિ અને ભાષાની સુરક્ષા કરવી તેમની ફરજ છે.
#WATCH: Congress leader Rahul Gandhi dances with students of St. Joseph's Matriculation Hr. Sec. School in Mulagumoodubn, Tamil Nadu during an interaction with them pic.twitter.com/RaSDpuXTqQ
— ANI (@ANI) March 1, 2021
કોંગ્રેસ નેતાએ કહ્યું કે ભાજપ ધારાસભ્યો ખરીદવાની અને લોકશાહીનો નાશ કરવાની દોડમાં છે અને કન્યાકુમારીના લોકોએ ભગવો છાવણીની આ નકારાત્મક યોજનાથી સાવચેત રહેવું જોઈએ. તેમણે લોકોને પુડ્ડુચેરીમાં કરેલા રાજકીય નાટક વિશે લોકોને યાદ અપાવતા કહ્યું કે ભગવો પક્ષ પડોશી રાજ્યમાં લોકશાહીનો ધ્વજ છીનવી લે છે.
આ પણ વાંચો : આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની અટકાયત, જાણો શું છે મામલો
રાહુલ ગાંધીએ દિવંગત એચ. વસંતકુમારને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, જે કન્યાકુમારીના સાંસદ હતા અને કોવિડ -19 ના કારણે તેમનું નિધન થયું હતું. કોંગ્રેસ નેતાએ કહ્યું કે વસંતકુમાર અગાઉ કોંગ્રેસના સભ્ય હતા અને તેમણે કન્યાકુમારી લોકસભા બેઠક જીતી હતી. રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકરોને તેમની વારસો આગળ વધારવા અને ગઠબંધનના સહયોગીઓને એક મોટો જનાદેશ આપવા અપીલ કરી હતી.
