હિમાચલ પ્રદેશમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં, પરવાણુ માં હાજર રોપ-વેમાં અચાનક ખામી સર્જાતા પ્રવાસીઓ અટવાયા છે. જોકે, તેમને બચાવવા માટે બીજી કેબલ કારની ટ્રોલી મોકલવામાં આવી છે. તે જ સમયે, ટેક્નિકલ ટીમ શક્ય તેટલી વહેલી તકે કેબલ કાર સેવાને ઠીક કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે પોલીસ પણ સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે.
ANI દ્વારા કરાયેલા તાજેતરના ટ્વીટ મુજબ, સોલન જિલ્લામાં હાજર Timber Trail (cable-car) માંથી બે પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે. તે જ સમયે, 11 લોકોને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ન્યૂઝ એજન્સી ANIએ પણ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે.
આ વાતની પુષ્ટિ કરતા એસપી સોલન વીરેન્દ્ર શર્માએ માહિતી આપી છે કે, બપોરે લગભગ 1:30 વાગ્યે પરવાણુના TTRમાં ટેક્નિકલ સમસ્યાના કારણે કેબલ કાર અધવચ્ચે ફસાઈ ગઈ હતી. કેબલ કારમાં ફસાયેલા પ્રવાસીઓએ જણાવ્યું કે તેઓ રિસોર્ટમાં જઈ રહ્યા હતા, પરંતુ ટેકનિકલ સમસ્યાના કારણે અહીં ટિમ્બર ટ્રેલ ફસાઈ ગઈ. જો કે તેમને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ તેઓ ઉતરવાની સ્થિતિમાં નથી.
#WATCH | Himachal Pradesh: Rescue operation underway at Parwanoo Timber Trail where a cable car trolly with tourists is stuck mid-air.
2 people have been rescued, 9 are still stranded. NDRF team shortly to reach the spot: Dhanbir Thakur, SDM Kasauli pic.twitter.com/gygYHK0II0
— ANI (@ANI) June 20, 2022
મળતી માહિતી મુજબ, સોલનના પરવાણુના TTR રિસોર્ટમાં ટેક્નિકલ ખામીના કારણે કેબલ કાર દોઢ કલાકથી વધુ સમય સુધી ફસાઈ ગઈ હતી. સોલનના ધારાસભ્ય કર્નલ ધની રામ શાંડિલે કહ્યું છે કે, ટૂંક સમયમાં તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવશે, જેના માટે સેનાની મદદ લેવામાં આવશે.
આપને જણાવી દઈએ કે કસૌલી તહસીલના પરવાણુ વિસ્તારમાં ઓક્ટોબર 1992માં આવી જ એક ઘટના બની હતી. ત્યારે દસ લોકોના જીવ તાળવે ચોંટી ગયો હતો. આજે પણ લોકો એ સમયને યાદ કરે છે ત્યારે તેઓ કંપી ઉઠે છે. ત્યારે ત્રણ દિવસથી દસ લોકોને બચાવવાના પ્રયાસો ચાલી રહ્યાહતો. જેમાંથી એક વ્યક્તિનું મોત પણ થયું હતું. ત્યારે આર્મી અને એરફોર્સના જવાનોએ સેંકડો ફૂટની ઊંચાઈએ ફસાયેલા લોકોના જીવ બચાવ્યા હતા.
આ પણ વાંચો: અગ્નિવીરોની ભરતી કેવી રીતે કરાશે, તેમના લાભો શું હશે; જાણો તમામ વિગતો
આ પણ વાંચો:મૂસેવાલા મર્ડર કેસમાં મોટો ખુલાસો, શંકાની સોય મનમોહન સિંહ મોહ પર
આ પણ વાંચો:3-4 દિવસ પછી કંઈક મોટું અને ભયાનક થવાની શક્યતા, ઝેલેન્સકીએ કહ્યું- કંઈક ઐતિહાસિક થશે
