હરિયાણાના કરનાલ જિલ્લામાં એક સ્કૂલના છાત્રાલયમાં કોરોના કહેર વરસી પડ્યો છે. છાત્રાલયના 54 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે. આરોગ્ય વિભાગની ટીમ છાત્રાલય પહોંચી ગઈ છે અને છાત્રાલયને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ માહિતી કરનાલના સિવિલ સર્જન યોગેશ કુમાર શર્માએ આપી છે.

Corona Virus / અહીં કોરોનાની રસીના બે ડોઝ લીધા છતાં પણ હેલ્થ વર્કરને એન્ટીબોડી નહીં બન્યા : કોરોના પડકારરૂપ
હરિયાણામાં કોરોનાથી બે દર્દીઓનું મોત નીપજ્યું હતું. તેમાંથી એક હિસારનો દર્દી હતો અને બીજો ફરીદાબાદનો. ત્યાં સંક્રમણના 166 નવા કેસો હતા, જ્યારે 151 દર્દીઓની રિકવરી થતાં તેમને રજા આપવામાં આવી હતી.

Election Result / ગામડે ગામડે ખીલ્યું ‘કમળ’, ‘કોંગ્રેસ’ને ન મળ્યો કોઇ સ્કોપ
નવા કેસોમાં ગુરુગ્રામમાં સૌથી વધુ 36, કુરુક્ષેત્રમાં 32, કરનાલમાં 21, પાણીપતમાં 19 અને અંબાલામાં 14 કેસ નોંધાયા છે. રેવારી, સિરસા, મહેન્દ્રગગઢ, ભિવાની, પલવલ અને ઝજ્જરમાં એક પણ કેસ નોંધાયો નથી. બાકીના જિલ્લાઓમાં 14થી ઓછા કેસ મળી આવ્યા છે.
Election Result / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોને ફાળે કેટલી બેઠક આવી, આવો જોઈએ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
