- કેરળના લીધે દેશમાં વધ્યા નવા કેસ,
- દેશમાં 24 કલાકમાં 46 હજાર કેસ,
- કેરળમાં 24 કલાકમાં 31,445 કેસ,
- કેરળમાં દેશના દૈનિક કેસના 65 ટકા,
- દેશમાં 24 કલાકમાં 18 લાખ ટેસ્ટ,
- 24 કલાકમાં 34 હજાર કોરોના મુક્ત
દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ધીમી પડી ગઇ છે, ત્યારે ત્રીજી લહેર આવવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે જોરદાર રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. દૈનિક ટેસ્ટિંગમાં મંદી પછી, કેરળમાં ફરીથી દૈનિક કોવિડ કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન, કેરળમાં 31,445 નવા કેસ નોંધાયા છે, જ્યારે 215 દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે. જોકે, કોરોનાથી સંક્રમિત 20,271 લોકોને રજા આપવામાં આવી છે.
આ પણ વાંચો – દુષ્કાળની દહેશત / વરસાદ ખેંચાતા વાવેતરને ભારે નુકસાનની શકયતા, મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની થશે કસોટી
આપને જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં કોવિડનાં 37,593 નવા સંક્રમણ અને 648 લોકોનાં મોત બાદ, ભારતમાં બુધવારે નવા કોવિડ કેસોમાં વધારો જોવા મળ્યો. આ આંકડા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા શેર કરવામાં આવ્યા છે. આ સંખ્યામાં તીવ્ર વધારો થયો છે, જ્યારે મંગળવારે છેલ્લા 24 કલાકમાં દેશમાં 25,467 નવા કોવિડ કેસ અને 354 મૃત્યુ નોંધાયા હતા. ભારતમાં કોવિડ સંક્રમણમાંથી રિકવરી રેટ 97.67 ટકા છે. છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસોમાં 2,776 નો નજીવો વધારો જોવા મળ્યો છે અને હાલમાં આ 3,22,327 છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા બુલેટિન અનુસાર, 0.99 ટકા સક્રિય કેસ હાલમાં દેશમાં કુલ પોઝિટિવ કેસોનાં એક ટકાથી પણ ઓછા છે. છેલ્લા 24 કલાકમાં હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાંથી કુલ 34,169 દર્દીઓને રજા આપવામાં આવી છે, જેનાથી ભારતમાં ઠીક થયેલા કેસોની કુલ સંખ્યા 3,17,54,281 થઈ ગઈ છે.
Kerala records 31,445 fresh COVID19 cases, 215 deaths and 20,271 recoveries; Test positivity rate at 19.03% pic.twitter.com/B4P3j6adkf
— ANI (@ANI) August 25, 2021
આ પણ વાંચો – મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ / 2 સપ્ટે.થી ધો.6 થી 8નાં ઓફલાઇન વર્ગો શરૂ કરાશે, શિક્ષણમંત્રીની જાહેરાત
દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4,35,758 છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ છેલ્લા 61 દિવસથી 3 ટકાથી નીચે રહ્યો છે અને હાલમાં 1.92 ટકા છે. સતત 30 દિવસ સુધી દૈનિક પોઝિટિવિટી રેટ 3 ટકાથી નીચે રહ્યો છે અને હાલમાં 2.10 ટકા છે. બુધવારે સવારે અંતિમ અહેવાલ મુજબ, ભારતનું કોવિડ રસીકરણ કવરેજ 59.55 કરોડનાં સંચિત આંકડાને પાર કરી ગયું છે અને આ સંખ્યા વધીને 59,55,04,593 થઈ ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં 51.11 કરોડથી વધુ સંચિત ટેસ્ટ કર્યા છે.
