Chamoli/ ઋષિગંગા નદી પાસે બનેલા તળાવ પર પહોંચી SDRFની ટીમ, હાલ ખતરો ટળ્યો

ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટ્યા બાદ ભયંકર તબાહી મચી ગઈ હતી. તપોવન ટનલમાં રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલી રહ્યું છે. જ્યારે ગ્લેશિયર તૂટવાના કારણે ઋષિગંગાની નજીક એક તળાવ પણ બની ગયું છે, જેના ખતરા અંગે વૈજ્ઞાનિકો ચેતવણી

Top Stories

ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટ્યા બાદ ભયંકર તબાહી મચી ગઈ હતી. તપોવન ટનલમાં રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલી રહ્યું છે. જ્યારે ગ્લેશિયર તૂટવાના કારણે ઋષિગંગાની નજીક એક તળાવ પણ બની ગયું છે, જેના ખતરા અંગે વૈજ્ઞાનિકો ચેતવણી આપી ચૂક્યા છે. જ્યારે ઉત્તરાખંડ ( સ્ટેટ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ) એસડીઆરએફના જવાનો શનિવારે તે જગ્યા પર પહોંચ્યા હતા જ્યાં આ તળાવ બની ગયું છે.

एसडीआरएफ के जवानों ने विकसित किया अर्ली वार्निंग सिस्टम

big news / લોકડાઉન દરમિયાન દાખલ થયેલા 2.5 લાખ પરત ખેંચશે યોગી સરકાર, UP બન્યું પ્રથમ રાજ્ય

એસડીઆરએફ ના જણાવ્યા પ્રમાણે હાલ કોઈ ખતરો જોવા મળી રહ્યો નથી. એસડીઆરએફ ના જવાનોએ વોર્નિંગ સિસ્ટમનો પણ વસાવી છે. સતર્ક એસડીઆરએફની એક એક ટીમો પેન્ગ, તપોવન અને શ્રેણી તળાવમાં તહેનાત કરી દેવામાં આવી છે. દૂરબીન, સેટેલાઇટ ફોન અને તે સિસ્ટમ થી સજ્જ એસડીઆરએફ ની ટીમો કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં આસપાસના ગામડાઓની સાથે જોશીમઠ અને સતર્ક કરવામાં સક્ષમ છે.

Covid-19 / WHO એ કોરોના મામલે ચીનને આપેલા ક્લિનચીટ પર US ને છે શંકા

પ્રીતિ અગ્રવાલ ઉત્તરાખંડ એસડીઆરએફના મુખ્ય કાર્યકારી અધિકારી અને ડીઆઇજી એસડીઆરએફ એ જણાવ્યું છે કે એસડીઆરએફની ટીમો સેટેલાઇટ ફોનના માધ્યમ દ્વારા સતત સંપર્કમાં છે. તેમના તરફથી પાણીના ભરાવા અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યાં તળાવ બની ચૂક્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ તળાવમાં હાલ કોઇ ખતરો નથી. જો તળાવની જળ સપાટી વધી જશે તો વોર્નિંગ ટીમો તાત્કાલિક સૂચના આપી દેશે.

Election / ઓવૈસીને હંફાવવા ગુજરાત ભાજપે 31 મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા

મુખ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે એસડીઆરએફના જવાનો આ એલર્ટ સિસ્ટમ દ્વારા એવી સ્થિતિમાં નદીની આસપાસના વિસ્તારોમાં 5 થી 7 મિનિટમાં સુરત ખાલી કરાવી શકે છે. અગ્રવાલ ના જણાવ્યા પ્રમાણે અર્લી વોર્નિંગ સિસ્ટમ લગાવવાના કારણે પાણીનું સ્તર ડેન્જર લેવલ પર પહોંચતા તમામ નાગરિકોને ખતરા અંગે સાયરન વગાડી અને સૂચના આપી દેવામાં આવશે. તેમજ એસડીઆરએફની ટીમો આસપાસના ગામડાઓને પણ સચેત કરી દેશે. ઉલ્લેખનીય છે કે ગ્લેશિયર તૂટવાની ઘટનામાં સૌથી વધુ લોકો ગુમ થઈ ગયા હતા.

Impeachment / મહાભિયોગ મામલે ટ્રમ્પને મળી મોટી જીત, 10 મતોનાં અભાવે નિર્દોષ જાહેર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…