કૃષિ આંદોલન/ ખેડૂતોનું ખતમ નથી થયુ આંદોલન, રાકેશ ટિકૈતની સરકાર પાસે વધુ એક માંગ

ખેડૂત યુનિયનની બેઠકમાં ભારતીય કિસાન યુનિયનનાં નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, અમારી MSP ની માંગ ભારત સરકાર પાસે છે.

Top Stories India
રાકેશ ટિકૈત

ખેડૂત યુનિયનની બેઠકમાં ભારતીય કિસાન યુનિયનનાં નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, અમારી MSP ની માંગ ભારત સરકાર પાસે છે. વાટાઘાટો શરૂ થઈ છે, જોઈએ શું પરિણામ આવે છે. હજુ સુધી કોઈ રણનીતિ બનાવવામાં આવી નથી, અમે અમારા મુદ્દાઓ અને આંદોલન અંગે ચર્ચા કરીશું.

આ પણ વાંચો – બેદરકારી / જામનગર આરોગ્ય સેવાની ઘોર બેદરકારી, મૃતકનાં નામે તૈયાર કોરોના સર્ટિફિકેટ

રાકેશ ટિકૈતે પંજાબની જેમ ખેડૂતોનાં મૃત્યુ અને રોજગાર માટે રાજ્યો પાસેથી વળતરની માંગ કરી છે. ટિકૈતે વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલે હરિયાણાનાં CM મનોહર લાલ ખટ્ટરની ખેડૂતો વચ્ચેની વાતચીતમાં કોઇ પરિણામ આવ્યુ નહોતુ, પરંતુ રાજ્ય સરકાર ખેડૂતો સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવા માટે સંમત થઈ છે. “અમારી MSP માંગ કેન્દ્ર સરકાર પાસે છે. વાટાઘાટો હમણાં જ શરૂ થઈ છે અને અમે જોઈશું કે તે કેવી રીતે થાય છે. અમે આજે કોઈ વ્યૂહરચના ઘડીશું નહીં, અમે ફક્ત ચર્ચા કરીશું કે આંદોલન કેવી રીતે આગળ વધે છે.” ટિકૈતનું આ નિવેદન આજે સંયુક્ત કિસાન મોરચાની બેઠક પહેલા આવ્યું છે. SKM એ કહ્યું કે, તેઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના પત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલી તમામ માંગણીઓનાં ઔપચારિક અને સંપૂર્ણ પ્રતિસાદની રાહ જોવાનું નક્કી કર્યું છે.

આ પણ વાંચો – સંકટમાં ગુજરાત / રાજ્યમાં Omicron નાં દર્દીની વાંચો ટ્રાવેલ હિસ્ટ્રી, જામનગર-રાજકોટ બાદ શું અમદાવાદમાં હશે એન્ટ્રી?

28 નવેમ્બરનાં રોજ SKM એ એક સત્તાવાર સંદેશા વ્યવહારમાં લખ્યું હતું કે, “સંયુક્ત કિસાન મોરચાએ ભારતનાં વડા પ્રધાનને 21 નવેમ્બરનાં રોજ તેમના પત્રમાં ઉઠાવવામાં આવેલી તમામ માંગણીઓનો ઔપચારિક અને સંપૂર્ણ જવાબ આપવા માટે ભારત સરકારની રાહ જોવાનું નક્કી કર્યું છે. SKM 29 નવેમ્બરથી સંસદ સુધી પ્રસ્તાવિત ટ્રેક્ટર કૂચ મોકૂફ રાખીને કેન્દ્ર સરકારને વધુ સમય આપવાનો નિર્ણય કર્યો છે. 4 ડિસેમ્બરે યોજાનારી સંયુક્ત કિસાન મોરચાની આગામી બેઠકમાં વિરોધ કરી રહેલા ખેડૂતો આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેશે.