વૈશ્વિક કોરોના વાયરસનાં કેસ વધીને 26 કરોડથી વધુ થઈ ગયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં 52.07 લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 7.95 અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. બુધવારે સવારે તેના નવીનતમ અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો કે વર્તમાન વૈશ્વિક કેસ 262,174,370, મૃત્યુઆંક 5,207,397 છે અને રસીકરણની કુલ સંખ્યા 7,957,183,241 છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે માહિતી આપી હતી કે, છેલ્લા 24 કલાકમાં સંક્રમણને કારણે 190 લોકોનાં મોત થયા છે, જેની સાથે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 6,990 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો – કોરોના / ઓમીક્રોન સામે જરૂર પડશે તો વેક્સિન આટલા સમયમાં તૈયાર થઇ જશે : મોડર્ના
સમગ્ર વિશ્વમાં ભલે કોરોનાનાં નવા વેરિઅન્ટથી હાહાકાર મચ્યો છે પરંતુ દેશમાં તેનાથી વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે. અહી કોરોનાનાં કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જણાવી દઇએ કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 6,990 નવા કેસ નોંધાયા છે. વળી આ સમયમાં કુલ 10,116 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જેનાથી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 34,018,299 થઈ ગઈ છે. આજે એટલે કે મંગળવારે મંત્રાલયનાં ડેટા દર્શાવે છે કે ભારતમાં કોવિડ-19નાં કુલ સક્રિય કેસ ઘટીને 1,00,543 થઈ ગયા છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં 123.25 કરોડથી વધુ રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 78,80,545 લોકોને રસી આપવામાં આવી છે. દેશમાં હવે કુલ મૃત્યુઆંક 4,68,980 છે. ભારતમાં, કોવિડ રોગચાળાને કારણે પ્રથમ મૃત્યુ માર્ચ 2020 માં થયું હતું. નવા કોરોના વાયરસનાં સંક્રમણમાં દૈનિક વધારો સતત 46 દિવસથી 20,000થી નીચે રહ્યો છે અને સતત 149 દિવસથી દરરોજ 50,000 થી ઓછા નવા કેસ નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 10,12,523 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
COVID19 | India reports 6,990 new cases, 190 deaths & 10,116 recoveries in the last 24 hours; Active caseload at 1,00,543: Ministry of Health and Family Welfare
Total Vaccination : 1,23,25,02,767 pic.twitter.com/57jOpR7pED
— ANI (@ANI) November 30, 2021
આ પણ વાંચો – આદેશ / ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ત્રણ લાખથી વધુ સૈનિકોની ભરતી કરવાનો આપ્યો આદેશ
આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, સક્રિય કેસોમાં કુલ સંક્રમણનાં 0.33 ટકાનો સમાવેશ થાય છે, જે માર્ચ 2020 પછીનો સૌથી ઓછો છે, જ્યારે રાષ્ટ્રીય COVID-19 રિકવરી રેટ 98.32 ટકા નોંધાયો છે, જે માર્ચ 2020 પછીનો સૌથી વધુ છે.
