LIQUOR BAN/ ગુજરાતમાં દારૂબંધીએ હવે દંભનીતિ!સમય આવી ગયો છે બદલાવનો,અથથી ઇતિ સુધી જાણો …

અમદાવાદમાં 6 જુલાઈ 2009 ના વર્ષમાં ઓઢવ, કાગડાપીઠ અને બાપુનગરમાં લઠ્ઠાકાંડ થયો હતો. જેમાં 123 લોકોના મોત નિપજ્યા હતા અને 200 લોકોએ આંખો ગુમાવી હતી.

Top Stories Gujarat Mantavya Exclusive

મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છંતા પણ રાજ્યના અનેક  જિલ્લાઓના તાલુકામાં દેશી દારૂની હાટડીઓ ધમધમે છે, પોલીસતંત્રની રહેમનજરે આ દેશી દારૂના સ્ટેન્ડ ચાલી રહ્યા છે, હપ્તા સિસ્ટમે આજે ફરીવાર ગુજરાતને લઠ્ઠાકાંડમાં ધકેલી દીધો છે. બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં 35 લોકોના મોત નિપજ્યા છે. જેના લીધે સરકારની દારૂબંધી નીતિ ચર્ચામાં આવી  છે.આજે સરકાર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. રાજ્ય સરકારે  દેશીદારૂની ભટ્ટીઓ નાબૂદ કરીને બૂટલેગરો સામે કડક કાર્યવાહી  નિર્દેશ આપવા જોઇએ,અને  દારૂબંધીની નીતિમાં બદલાવ કરીને રાજ્યમાં દારૂબંધી હટાવી લેવી જેઇએ? દારૂબંધી હવે દંભનીતિ બની ગઇ છે.

દારૂબંધીની વાત કરીએ તો ગુજરાતમાં અગ્રેજાનો સમયથી આ દારૂબંધી અમલી બની હતી. રસપ્રદ બાબત એ છે કે ગુજરાતમાં દારૂ બંધીનો પહેલો કાયદો 1878માં અમલી બન્યો હતો . ગુજરાત અને બોમ્બે તે સમયે એક રાજ્ય હતા અને બોમ્બે અબકારી એક્ટ હેઠળ દારૂ પર ભારે ટેક્સ લાદવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આવક વધારવા માટે આ ટેક્સ લાદવામાં આવ્યો હતો. તેની પાછળ કોઈ અન્ય કારણો ન હતા. 1939 અને 1947 માં આ કાયદામાં સુધારા કરવામાં આવ્યો હતાે અને ગુજરાત અને બોમ્બેમાં સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી હતી.1940 માં સરકારે પ્રતિબંધના અંગે પુનર્વિચાર કર્યો અને ચાર વર્ષીય યોજનાના આધારે સમગ્ર બોમ્બે પ્રાંતમાં “સંપૂર્ણ પ્રતિબંધ” ની નીતિ હાથ ધરવા અને તેને લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. પ્રોહિબિશન એક્ટ હેઠળ 1949માં કહેવામાં આવ્યું  કે દારૂના સેવનને મંજૂરી આપવી જોઈએ નહીં કારણ કે તેનાથી સ્વાસ્થ્ય બગડે છે.શારિરીક મુશકેલીઓનો સામનો કરવો પડે છે, જેના લીધે કાયદો જાળવી રાખવામાં આવ્યો હતો.

1960માં મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોમાં બોમ્બે પ્રાંતના પુનર્ગઠનને પગલે, ગુજરાતે સંપૂર્ણ પ્રતિબંધ નીતિ અપનાવવાનું પસંદ કર્યું. વાસ્તવમાં એ આધાર પર કે મહાત્મા ગાંધીનો જન્મ ગુજરાતમાં થયો હતો અને દારૂબંધી તેમના માટે આદરની નિશાની હતી. મહારાષ્ટ્રે એ નીતિને દૂર કરી અને તેના કાયદામાં સુધારો કર્યો.

ગુજરાતમાં પ્રોહિબિશન પોલિસીની મજાક ઉડાવવામાં આવતી હતી રસપ્રદ વાત એ છે કે અગાઉ પ્રતિબંધની નીતિના બચાવમાં જે કહેવામાં આવ્યું હતું તે કાઉન્ટર ડિફેન્સ બની ગયું. ગુજરાતના કાયદામાં કહેવાયું કે દારૂ પીવાની પરવાનગી માત્ર રજિસ્ટર્ડ એલોપેથિક ડોક્ટરના આધારે જ આપી શકાય છે કે જેના આરોગ્ય માટે દારૂ સારો છે! આજે પણ ગુજરાતમાં તમામ પરમિટ નિવાસી ગુજરાતીઓને માત્ર સ્વાસ્થ્યના આધારે જ આપી શકાય છે.2000 પહેલાની પ્રતિબંધની નીતિ એટલી વણસી ગઈ હતી કે ગુજરાતમાંથી પીવા માટે પરવાનગી માંગતા દરેકને એક વિચિત્ર ફોર્મ ભરવું પડતું  હતું, જેમાં પૂછવામાં આવ્યું હતું કે, “દારૂડિયાનું નામ” અને શરાબીના પિતાનું નામ. જે ફોર્મમાં ઉપહાસનો વિષય બન્યો હતો.

ગુજરાત સરકારે 2011માં એક્ટનું નામ બદલીને ગુજરાત પ્રોહિબિશન એક્ટ રાખ્યું. જેમાં દારૂડિયાના સંદર્ભોને દૂર કરવામાં આવ્યા હતા. જો કે હજુ પણ ગુજરાતના રહેવાસીઓ દારૂ પીવાની “પરમિટ” માટે અરજી કરી શકે છે ,પરવાનો લેનારની ઓછામાં ઓછી વય 40 વર્ષની હોય અને ડોકટરો દ્વારા ભલામણ કરવામાં આવી હોય કે તેમને આરોગ્ય વ્યવસ્થાપન અને વૃદ્ધિના કારણોસર દારૂ પીવાની જરૂર છે.ગુજરાત મહાત્મા ગાંધીના નામે દારૂબંધીની નીતિને વળગી રહ્યું છે. ગુજરાતમાં દારૂબંધી  એકદમ દંભ છે. બુટલેગરો બેફામ છે. ગુજરાતમાં લગભગ તમામ બ્રાન્ડના દારૂ ઉપલબ્ધ છે અને હજુ પણ આપણે એક જૂની નિષેધ નીતિને વળગી રહ્યા છીએ. ગુજરાતીઓને પ્રગતિશીલ લોકો ગણવામાં આવે છે પણ આપણે દંભને વળગી રહ્યા છે. સમય આવી ગયો છે તેનામાં બદલાવ લાવવાનો. ક્યાં સુધી દંભમાં જીવી શું? રાજ્યમાં કાયેદસરની છૂટ આપવામાં આવેતો  કરોડામાં ટેક્સની આવક થઇ શકે છે. જેનાથી સરકારને  ઘણી આવક થઇ શકે તેમ છે. જીએસટી અને અન્ય ટેક્સના સ્વરૂપોમાં કરોડોની આવક થઇ શકે છે.

ભારતમાં ગમે ત્યાંથી મુસાફરી કરતો કોઈપણ વ્યક્તિ રહેણાંક પુરાવો બતાવીને એરપોર્ટ પરથી જ દારૂ પીવાની પરમીટ મેળવી શકે છે એટલુ જ નહી, ડઝનબંધ ફાઇવ સ્ટાર હોટલોમાંથી દારૂ ખરીદી શકાય છે પરંતુ ગુજરાતનો નિવાસીને દારૂ પીવાની મનાઈ છે.
મહાત્મા ગાંધી એક એવા ગુજરાતી છે જે ખૂબ જ આદરણીય અને સન્માનિત છે, અને  રાષ્ટ્રપિતા પણ છે. જો આપણે વન નેશન વન ઈલેક્શનની વાત કરીએ ત્યાં, એક નિષેધ નીતિની પણ દલીલ છે. જો કે પ્રતિબંધ રાજ્યનો વિષય છે અને કેન્દ્રીય વિષય નથી.જો તમે મહાત્મા ગાંધીના જન્મ સ્થળ પોરબંદરથી છો પરંતુ હાલમાં મુંબઈમાં રહો છો, તો તમે તમારા રહેઠાણનો પુરાવો બતાવી પોરબંદરમાં દારૂ પી શકો છો.

ગુજરાત સરકારના નેજા હેઠળ કોઈપણ નગરમાં આયોજિત કોઈપણ પ્રવાસી અથવા મેળાવડા અથવા આંતરરાષ્ટ્રીય સમિટ સામૂહિક પરમિટ માટે અરજી કરી શકે છે. ઉદાહરણ તરીકે, એક ગુજરાતી દિગ્ગજ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળનું આયોજન કરી શકે છે અને સામૂહિક પરમિટવાળા કોઈપણ ફાઇવ સ્ટાર હોટલ  પર તેમને ભવ્ય પાર્ટી આપી શકે છે. એક શરત આધીન છે. જો ત્યાં ત્રણ બહેનો કે ભાઈઓ અથવા મિત્રો હોય અને તે બધાને પીવાની સત્તાવાર પરવાનગી હોય પરંતુ જો તેઓ અલગ રહે છે, એક જ સોસાયટીમાં અલગ ઘરમાં પણ, તેઓ પીવા માટે સાથે મળી શકતા નથી. પીવાની પરમિટ નિર્દિષ્ટ કરે છે કે તમે એકલા અથવા તમારા રહેણાંક પરિસરમાં રહેતા કોઈ પણ વ્યક્તિ સાથે પી શકો છો જે ફક્ત 40 વર્ષથી વધુ ઉંમરના છે અને અલગ આરોગ્ય પરમિટ ધરાવે છે. કોઈ મિત્રો કે સહકર્મીઓ સાથે પી શકતા નથી.

 ઉલ્લેખનીય છે  હવે રાજ્યના તમામ જિલ્લાઓના તાલુકામાં બેફામ રીતે દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવી રહ્યા છે, આ બૂટલગેરો    ઉપલા વર્ગ સુધી હપ્તા પુરા પાડે છે. આ ભષ્ટ્રાચારના લીધે અગાઉ પણ રાજ્યમાં  લઠ્ઠાકાંડ થઇ ગયા છે,અમદાવાદના અનેક વિસ્તારમાં દારૂની રેલમછેલ જોવા મળે છે, નરોડાના છારા નગર સહિત ઓઢવ,નારોલ, વટવા,સરખેજ, બાપુનગર સહિત તમામ પૂર્વ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. આ દારૂની પોટલીઓ 20 રૂપિયા કે 30 રૂપિયાની મળે છે. સવારથી લઇને મોડી સાંજ સુધી દારૂ મળે છે.  પોલીસની રહેમનજરે આ હાટડીઓ ચાલે છે.

 સૂત્રોના જણાવ્યા અનુસાર  પેહલા દેશી દારૂ બનાવવા માટે 10 કે 12 દિવસ લાગતા હતા,દારૂ બનાવવા માટે ફટકડી,કાળી મરી ,સડેલા ફળો,અને રસકટ ગોળ અને લાટાનો  ઉપયોગ કરીને લોંખડના પીપને સીલબંધ કરીને પાઇપ કાઢીને વરાળથી બનાવવામાં આવતું પરતું હવે મિથેનોલ કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી ટૂંક સમયમાં જ દારૂ બનીને તૈયાર થઇ જાય છે, આ કેમિકલનો ઉપયોગ વધારે માત્રામાં કરવામાં આવેતો લઠ્ઠાકાંડ સર્જાઇ શકે છે.અને ભૂતકાળમાં પણ આ લઠ્ઠાકાંડ સર્જાયા છે

નોંધનીય છે કે અમદાવાદમાં 6 જુલાઈ 2009 ના વર્ષમાં ઓઢવ, કાગડાપીઠ અને બાપુનગરમાં લઠ્ઠાકાંડ થયો હતો. જેમાં 123 લોકોના મોત નિપજ્યા હતા અને 200 લોકોએ આંખો ગુમાવી હતી. આ ઘટનાના ઘેરા અને ગંભીર પ્રત્યાઘાતો પડ્યા હતા. અને કોર્ટમાં ગયેલા કેસમાં ખાસ સેશન્સ અદાલતે 10 વર્ષ બાદ આપેલા ચૂકાદામાં 3 આરોપીને 10 વર્ષની જેલની સજા અને રૂપિયા 50 હજારનો દંડ અને ત્રણ મહિલા આરોપીને 3.5 વર્ષની જેલની સજા અને 2500 રૂપિયાના દંડની સજા ફટકારી હતી. ઘટનામાં મુખ્ય આરોપી બુટલેગર વિનોદ ડગરી, રવિન્દ્ર પવાર સહિત 33 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ થઈ હતી અને કેમિકલ આપનારા જયેશ ઠક્કર અને દાદુ છારા પણ આ કેસમાં આરોપી હતા.સુરતના લિંબાયત, પુણા, કાપોદ્રા અને વરેલીમાં લટ્ઠાકાંડ થયો હતો. જેમાં આશરે 24 લોકોના મોત થતાં પોલીસે દારૂના અડ્ડાઓ બંધ કરાવીને બુટલેગરો વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરી હતી.વર્ષ 2012માં સંખેડા નજીકના પાણેજમાં લઠ્ઠાકાંડમાં ત્રણ વ્યક્તિનાં મૃત્યુ નોંધાયા હતા,વડોદરામાં પણ 33 વર્ષ પહેલા લઠ્ઠાકાડં સર્જાયો હતો તેમાં 135 લોકોના મોત થયા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદને 60 ટકા દારૂ મહેમદાવાદ પુરો પાડે છે, મહેમદાવાદના કતકપુર રોડ પાસે આવેલ બોડીરોજી સીમમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે. આ વિસ્તારમાં પ્રતિ દિવસ  હજારો લિટર દેશી દારૂનું ઉત્પાદન કરવામાં આવે છે. રોડ માર્ગે અને સવારે ગુજરાત મેલમાં દારૂ અમદાવાદમાં પહોચાડવામાં આવે છે.

આ પહેલા અમદાવાદમાં 2009માં લઠ્ઠાકાંડ થયો હતો તેનો મુખ્ય સૂત્રધાર વિનોદ ડગરી હતો તેને આકરી સજા પણ મળી છે, તેણે દારૂ તેના ગામ વાંઠવાળીથી અમદાવાદ સપ્લાય કર્યો હતો અને તેનું એક હથ્થુ શાસન મહેમદાવાદમાં આવેલી બોડીરોજી સીમમાં  હતું. તેના ગયા પછી પણ મહેમદાવાદમાં આજેપણ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે.અમદાવાદને દેશીદારૂ પુરુ પાડે છે.