Wreath આજે અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાશે. આજે બપોરે સાડા ત્રણ વાગ્યાથી શરૂ થનારો આ રોડ શો 32 કિલોમીટર લાંબો રોડ શો રહેશે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન હાલ સૌરાષ્ટ્ર , કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન ચાલી રહ્યું હશે તો બીજી તરફ વડાપ્રધાન મોદી અમદાવાદમાં મેગા રોડ શો કરશે. પીએમ મોદી અમદાવાદની 16 બેઠક પર રોડ શો યોજશે. આ તેમની પુષ્પાંજલિ યાત્રામાં અનેક પ્રતિમાઓને પુષ્પ અર્પણ કરશે. રોડ શો મારફતે વડાપ્રધાન 16 બેઠક પર પ્રચાર કરશે. ભાજપના કાર્યકર્તાઓને તૈયારીઓ માટે સૂચના આપી દેવામાં આવી છે. 30 થી વધુ સ્થળોનો રોડ શોનો મેપ તૈયાર કરવામાં આવ્યો છે.
દેશના યશસ્વી અને ઓજસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીની કર્ણાવતી મહાનગર ખાતે પુષ્પાંજલિ યાત્રા
તારીખ: 1 ડિસેમ્બર, 2022, ગુરુવાર
સમય: બપોરે 3:00 કલાકથીલાઈવ નિહાળો:
• https://t.co/dSqhPRRLS3
• https://t.co/3xD28d1IH2
• https://t.co/gDXaSLPIrG pic.twitter.com/PMEpXmZNF9— BJP Gujarat (@BJP4Gujarat) November 30, 2022
રથયાત્રાનો કુલ 34 કિમીનો રૂટ છે. જે અત્યાર સુધીનો ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો સૌથી લાંબો રોડ શો રહેશે. આ પહેલાં સુરતમાં 30 કિમીનો રોડ શો યોજાયો હતો. નરોડાથી શરૂ કરી ચાંદખેડા સુધી રોડ શો યોજાશે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કુલ 35 જગ્યાએ સ્વાગત કરવામાં આવશે.
વિશ્વના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીની કર્ણાવતી મહાનગરમાં પુષ્પાંજલિ યાત્રા…
તારીખ: 1 ડિસેમ્બર, 2022, ગુરુવાર
સમય: બપોરે 3:00 કલાકથીરૂટ: નરોડાથી ચાંદખેડા
લાઈવ નિહાળો:
• https://t.co/dSqhPRRLS3
• https://t.co/3xD28d1IH2
• https://t.co/gDXaSLPIrG pic.twitter.com/20BoIxVQxJ— BJP Gujarat (@BJP4Gujarat) November 30, 2022
જેમાં અલગ અલગ વિધાનસભાના ભાજપના ઉમેદવારો,હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સ્વાગત કરશે. આ દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં અમદાવાદના લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અભિવાદન કરશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં બીજા તબક્કાનું મતદાન આગામી પાંચમી ડિસેમ્બરના રોજ યોજાવાનું છે.
