વૈશ્વિક મહામારી કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો હજીપણ કોરોના નાબુદ થયો નથી પરતું કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે પરતું કોરોનાના નવા કેસો વધઘટ થઇ રહ્યા છે હજીપણ કોરોના સંપૂર્ણ નાબૂદ થયો નથી. આવતા મહિને તહેવાર આવી રહ્યા છે ત્યારે ભારત સરકારે મહત્વનો નિર્ણય હાલ લીધો છે. ભારતે યુકે સાથે જેવા સાથે તેવા જેવી નીતિ અપનાવી છે. હવે યુકેથી આવતાં તમામ મુસાફરોને ક્વોરન્ટીન ફજિયાત કરી દેવામાં આવ્યું છે.
ભારત સરકારે કોરોના વિદેશથી ના ફેલાય તે માટે અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે. યુકેમાંથી આવતા તમામ પ્રવાસીઓ પર કોવિડ-19ના નિયમોનું પાલન કડક રીતે કરવું પડશે, યુકેથી આવનાર તમામ મુસાફરોએ ક્વોરન્ટીન થવુ પડશે તે પણ ફજિયાત પણે. યુકેથી આવનાર પ્રવાસીઓએ 10 દિવસ સુધીફરજિયાત પણે ક્વોરન્ટીન થવું પડશે.તે મુસાફરોએ વેક્સિન લીધી હશે તો પણ તેમને ક્વોરન્ટીન થવું પડશે. આ નિયમનું અમલ 4 ઓક્ટોબરથી કરવામાં આવશે.