Loksabha Electiion 2024/ રાયબરેલી ગાંધી પરિવારનો ગઢ, ઇન્દિરા ગાંધી અને સોનિયા ગાંધી સાથે છે ખાસ સંબંધ

કેમ ગાંધી પરિવારનો ગઢ મનાય છે રાયબરેલી. ઇન્દિરા ગાંધી અને સોનિયા ગાંધીને અંહીથી મોટી જીત મળી હતી. અને હવે રાહુલગાંધી પણ આ વારસો સંભાળવા જઈ રહ્યા છે.

Top Stories Politics
Beginners guide to 2024 05 03T143056.862 રાયબરેલી ગાંધી પરિવારનો ગઢ, ઇન્દિરા ગાંધી અને સોનિયા ગાંધી સાથે છે ખાસ સંબંધ

કોંગ્રેસ માટે આજે મહત્વનો દિવસ છે. આજે કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટે લાંબા સમયથી બે બેઠકના ઉમેદવારને લઈને ચાલતા સસ્પેન્સનો અંત લાવ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ આજે રાયબરેલી અને અમેઠી બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરતા રાહુલ ગાંધી ક્યાંથી ચૂંટણી લડશે તે પણ સ્પષ્ટ થઈ ગયું છે. કોંગ્રેસ પાર્ટીની જાહેરાત મુજબ સ્ટાર નેતા રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડશે જ્યારે કોંગ્રેસના વફાદાર એવા કિશોરીલાલ શર્મા અમેઠી બેઠક પરથી ચૂંટણી લડશે. રાયબરેલી બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક કોંગ્રેસ માટે વધુ મહત્વની છે. રાયબરેલી બેઠકનો ગાંધી પરિવાર સાથે ખાસ સંબંધ રહ્યો છે.  જણાવી દઈએ કે કેએલ શર્મા ગાંધી પરિવારના ખૂબ જ નજીકના માનવામાં આવે છે અને લાંબા સમયથી અમેઠી અને રાયબરેલીમાં રણનીતિ ચલાવી રહ્યા છે.

Rahul Gandhi filed nomination from Rae Bareli lok sabha seat Feroze Gandhi  had won the first election Sonia has been MP for 20 years - राहुल ने  रायबरेली से पर्चा भरा, फिरोज

કોંગ્રેસે અમેઠીની જગ્યાએ રાહુલ ગાંધીને રાયબરેલીથી ઉમેદવાર બનાવીને બધાને ચોંકાવી દીધા છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું કે કોંગ્રેસ ગાંધી પરિવાર માટે અમેઠી કરતા રાયબરેલીને વધુ ઐતિહાસિક, ભાવનાત્મક અને ચૂંટણીલક્ષી મહત્વ માને છે, તેથી રાહુલને અહીંથી મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેમ ગાંધી પરિવારનો ગઢ મનાય છે રાયબરેલી

આઝાદી બાદથી ગાંધી પરિવારનું રાયબરેલીમાં વર્ચસ્વ છે. અહીં અત્યાર સુધી યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર ત્રણ વખત હાર્યું છે. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધી આ બેઠક પરથી પહેલી બે લોકસભા ચૂંટણી જીત્યા હતા. આ પછી 1967 અને 1971માં ઈન્દિરા ગાંધી અહીંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.

ઇંદિરા ગાંધની મળી હાર

જોકે, 1977માં ઈમરજન્સી પછી યોજાયેલી ચૂંટણીમાં તેમને રાયબરેલીથી રાજ નારાયણ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રણ વર્ષ પછી, તેણી ફરીથી અહીં ચૂંટણી મેદાનમાં ઉતરી અને લગભગ અઢી લાખના માર્જિનથી વિશાળ વિજય મેળવ્યો. આ ચૂંટણીમાં તેણી આંધ્રપ્રદેશના મેડકથી પણ જીતી હતી, તેથી તેણે રાયબરેલી છોડીને મેડકથી સાંસદ રહેવાનું નક્કી કર્યું.

આ પછી રાયબરેલીમાં પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં રાજીવ ગાંધીના વિશ્વાસુ અરુણ નેહરુની જીત થઈ હતી. 1984ની ચૂંટણીમાં પણ અરુણ નેહરુ એક લાખથી વધુના માર્જિનથી જીત્યા હતા. બાદમાં 1989 અને 1991માં ઈન્દિરાની માસી શીલા કૌલે પણ અહીંથી ચૂંટણી જીતી હતી.

રાયબરેલી બેઠકના લેખા-જોખા

રાયબરેલી લોકસભા બેઠક ગાંધી પરિવારની પરંપરાગત બેઠક રહી છે. ફિરોઝ ગાંધીએ સૌપ્રથમ 1952માં (અને પછી 1958માં પણ) ચૂંટણી લડી અને જીતી. ફિરોઝ ગાંધીના અવસાન બાદ ઈન્દિરા ગાંધીએ 1967માં અહીંથી પોતાની રાજકીય ઈનિંગ્સ શરૂ કરી હતી. 2004માં ઈન્દિરા ગાંધીના પુત્રવધૂ સોનિયા ગાંધીએ ચૂંટણી લડી હતી અને પાંચ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા.

હવે સોનિયા ગાંધીના પુત્ર રાહુલ ગાંધી માતા અને દાદીનો વારસો સંભાળવા જઈ રહ્યા છે. ભાજપે છેલ્લી વાર અહીં 1998માં જીત મેળવી હતી, જ્યારે અશોક સિંહને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.

સતત બે વખત હાર્યા

કોંગ્રેસને રાયબરેલીમાં આંચકો લાગ્યો જ્યારે સ્થાનિક ભાજપના નેતા અશોક સિંહે 1996 અને 1998માં સતત બે ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા. 1999માં ગાંધી પરિવારના સહયોગી સતીશ શર્મા કોંગ્રેસને અહીં પાછા લાવ્યા હતા. 2004માં સોનિયા ગાંધીએ આ બેઠક પરથી કોંગ્રેસની કમાન સંભાળી અને ત્યારથી 2019 સુધી અહીંથી જીતનો સિલસિલો ચાલુ રાખ્યો. જોકે, આ વખતે તેમણે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો અને રાજ્યસભાનો રસ્તો પસંદ કર્યો. જે બાદ પાર્ટીએ રાહુલ ગાંધીને અહીંથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોવિશિલ્ડ પરના હોબાળા વચ્ચે, જાણો શું કહ્યું કોવેક્સિન બનાવતી ભારત બાયોટેકે

આ પણ વાંચો:નાસાને અવકાશમાં મળી મોટી સફળતા,14 કરોડ માઇલ દૂરથી પૃથ્વીને મળ્યો સંદેશ

આ પણ વાંચો:રાજેશ ઠાકુરે દિલ્હી પોલીસને આપવામાં આવેલી નોટિસનો આપ્યો જવાબ, કહ્યું હું હેન્ડલ ઓપરેટ કરતો નથી