રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતને ધમકીભરી એક પોસ્ટ મળી છે. આ કેસમાં પોલીસે બે લોકો સામે ગુનો નોંધ્યો છે. વળી, મુરલીપુરા પોલીસ સ્ટેશન સમગ્ર મામલાની તપાસમાં રોકાયેલ છે. જણાવી દઈએ કે, અગાઉ ભાજપનાં સાંસદ રેબતી ત્રિપુરાને આતંકવાદી સંગઠન નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ તવીપ્રા (એનએલએફટી) તરફથી ધમકીભર્યો પત્ર મળ્યો હતો.
વળી, પૂર્વ ક્રિકેટર અને પૂર્વ દિલ્હીનાં ભાજપનાં સાંસદ ગૌતમ ગંભીર અને તેના પરિવારને હત્યાની ધમકી મળી હતી. આંતરરાષ્ટ્રીય નંબર પરથી ફોન આ ધમકી મળ્યા બાદ ગૌતમ ગંભીરે પોલીસ ફરિયાદ કરી હતી અને એફઆઈઆર નોંધવાની માંગણી કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.