IPL/ રાજસ્થાન રોયલની ટીમના બોલર નું IPL છોડયા બાદ મોટું નિવેદન

ભારતમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર એન્ડ્રયુ ટાઇએ આઇપીએલ ૨૦૨૧ને અધ વચ્ચેથી છોડીને ઓસ્ટ્રેલિયા જતા પહેલા મોટુ નિવેદન આપ્યું છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે જ્યારે ભારતમાં આરોગ્યની આટલી મોટી સમસ્યા છેદેશના લોકો હોસ્પિટલ મેળવવા માટે અસમર્થ છે ત્યારે ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં આટલી મોટી રકમ કેવી રીતે ખર્ચ કરી રહી છે. […]

Sports
sssssss રાજસ્થાન રોયલની ટીમના બોલર નું IPL છોડયા બાદ મોટું નિવેદન
ભારતમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર એન્ડ્રયુ ટાઇએ આઇપીએલ ૨૦૨૧ને અધ વચ્ચેથી છોડીને ઓસ્ટ્રેલિયા જતા પહેલા મોટુ નિવેદન આપ્યું છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે જ્યારે ભારતમાં આરોગ્યની આટલી મોટી સમસ્યા છેદેશના લોકો હોસ્પિટલ મેળવવા માટે અસમર્થ છે ત્યારે ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં આટલી મોટી રકમ કેવી રીતે ખર્ચ કરી રહી છે. ટાઇએ કહ્યું કે, જો કોવિડ -૧૯ રોગચાળાથી પીડાતા લોકોનું લીગથી તાણ ઓછું થતુ હોય તો અથવા આશાનું કિરણ સામે આવતું હોય તો તે ચાલુ રાખવી જોઈએ.
 
તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, જો રમતનું ચાલુ રાખવાથી લોકોનો તણાવ દૂર થતો હોય અથવા આશાની ઝલક જોવા મળતી હોય,જેમ સુરંગની બીજી તરફ પ્રકાશ હોય છે. જો આમ હોય તો તો મને લાગે છે કે તે ચાલુ રાખવી જોઈએ.
 
તેમણે કહ્યું આઈપીએલમાં ખેલાડીઓ સલામત છે, પરંતુ તેમના મનમાં સવાલ રહે છે કે તેઓ ક્યાં સુધી સલામત રહેશે. આ ૩૪ વર્ષીય ખેલાડીએ ભારતમાં કોરોના કેસ વધવાના કારણે પોતાના દેશમાં પ્રવેશ નિષેધની આશંકાએ આઈપીએલ વચ્ચેથી જ છોડી દીધી. એન્ડ્રયુ ટાઇએ જણાવ્યું હતું કે તેમના વતન પર્થમાં ભારતથી જતા લોકોના વધતા જતા ક્વોરેન્ટાઇન કેસોને કારણે તેમણે આ નિર્ણય લીધો છે. ટાયએ હજી સુધી રાજસ્થાન રોયલ્સ માટે એક પણ મેચ રમી ન હતી અને એક કરોડ રૃપિયામાં ખરીદ્યો હતો.