ayodhya news/ રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે રજૂ કર્યો છેલ્લા 5 વર્ષનો હિસાબ, કર ભરી દેશની તિજોરી કરી છલોછલ

હજારો ભક્તો અને પ્રવાસીઓના આગમનથી અયોધ્યાના સ્થાનિક લોકો માટે રોજગારની તકો ઉભી થઈ રહી છે.

Top Stories India
Image 2025 03 17T105750.051 રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે રજૂ કર્યો છેલ્લા 5 વર્ષનો હિસાબ, કર ભરી દેશની તિજોરી કરી છલોછલ

Ayodhya News: રામ જન્મભૂમિ (Ram Temple) તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ગઈકાલે છેલ્લા 5 વર્ષનો હિસાબ રજૂ કર્યો હતો. ટ્રસ્ટના સચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરમાં ધાર્મિક પર્યટનમાં વધારો થયાનો અને છેલ્લા પાંચ વર્ષમાં તેમણે સરકારને લગભગ 400 કરોડ રૂપિયાનો કર (Tax) ચૂકવ્યો છે. આ રકમ 5 ફેબ્રુઆરી, 2020 થી 5 ફેબ્રુઆરી 2025ની વચ્ચે ચૂકવવામાં આવી હતી. આમાંથી, 270 કરોડ રૂપિયા GST તરીકે ચૂકવવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 130 કરોડ રૂપિયા અન્ય કર તરીકે ચૂકવવામાં આવ્યા હતા.

Ram Mandir - Wikipedia

ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે રામ લલ્લાના જન્મસ્થળ અયોધ્યામાં ભક્તો અને પ્રવાસીઓની સંખ્યામાં સતત 10 ગણો વધારો થયો છે. આવી સ્થિતિમાં, આ સ્થળ હવે ધાર્મિક પર્યટનનું કેન્દ્ર બની ગયું છે. દરરોજ હજારો પ્રવાસીઓ અને ભક્તો રામ મંદિરની મુલાકાત લેવા અને પ્રસાદ ચઢાવવા આવે છે.

Watch: Ayodhya Ram Temple Draws Huge Crowd Weeks After Inauguration

હજારો ધાર્મિક ભક્તો અને પ્રવાસીઓના આગમનથી અયોધ્યાના સ્થાનિક લોકો માટે રોજગારની તકો ઉભી થઈ રહી છે. આ સારી વાત છે કારણ કે હવે જે બેરોજગાર લોકો કામની શોધમાં હતા તેમને પણ પોતાનું ગુજરાન ચલાવવાની તક મળી રહી છે. ટ્રસ્ટના મહામંત્રીએ જણાવ્યું કે મહાકુંભ 2020 દરમિયાન અંદાજે 1.26 કરોડ ભક્તો અયોધ્યા આવ્યા હતા અને રામ લલ્લાના દર્શન કર્યા હતા. આ ટ્રસ્ટના નાણાકીય વ્યવહારનું ઓડિટ કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG)ના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે.

Around 19 lakh devotees offered prayers at Ram Mandir since its inauguration

મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે રામ મંદિરના નિર્માણ પાછળ અત્યાર સુધીમાં 2150 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. આ બધો હિસાબ 5 ફેબ્રુઆરી 2020 થી 28 ફેબ્રુઆરી 2025 સુધીનો હતો. ટ્રસ્ટ દ્વારા વિવિધ રાજ્યોમાંથી કર તરીકે સરકારને કુલ 396 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા, જે કુલ ખર્ચના 18 ટકા છે. ચંપત રાયે જણાવ્યું હતું કે જીએસટી (GST) તરીકે 272 કરોડ રૂપિયા, TDS તરીકે 39 કરોડ રૂપિયા, લેબર સેસ તરીકે 14 કરોડ રૂપિયા અને PF અને ESIC તરીકે 7.04 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. આ ઉપરાંત, શ્રી રામ જન્મભૂમિના નકશા માટે વીજળી બિલ, વીમા પૉલિસી, સ્ટેમ્પ ડ્યુટી અને વિકાસ સત્તામંડળને ચૂકવવામાં આવતી ફી વગેરે જેવા ઘણા અન્ય ખર્ચાઓ છે. જ્યારે પાણી વેરા તરીકે મહાનગરપાલિકાને કંઈ ચૂકવવામાં આવ્યું નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદીએ દિવ્યાંગ કલાકાર મનોજ દ્વારા બનાવેલ રામ મંદિરના ચિત્ર પર સહી કરી, તેની પ્રતિભાની પ્રશંસા કરી

આ પણ વાંચો:રામ મંદિરના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસ હવે નથી રહ્યા, તેમણે 87 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ  

આ પણ વાંચો:28 કોપર વાયર વિમાનને ઉડ્ડયન સુરક્ષા અને સિગ્નલ પ્રદાન કરશે;જાણો રામ મંદિરની સુરક્ષા કેવી રહેશે?