IND vs WI 2022/ વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સિરીઝમાં રવિન્દ્ર જાડેજાને મળી શકે છે આરામ, કોહલી-બુમરાહ પણ નહીં હોય ટીમનો ભાગ

ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડ સામે એજબેસ્ટન ટેસ્ટમાં સદી ફટકારી હતી આ સિવાય જાડેજા સતત ક્રિકેટ રમી રહ્યો છે. હવે ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ટી20 અને વનડે મેચોની શ્રેણી રમશે

Top Stories Sports

ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડ સામે એજબેસ્ટન ટેસ્ટમાં સદી ફટકારી હતી, આ સિવાય જાડેજા સતત ક્રિકેટ રમી રહ્યો છે. હવે ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ટી20 અને વનડે મેચોની શ્રેણી રમશે. વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ જેવા ખેલાડીઓને વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે. જયારે હવે એવું માનવામાં આવે છે કે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ભારત-વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી (IND vs WI 2022)માં આરામ આપવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ જેવા ખેલાડીઓને વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે. જયારે  શિખર ધવન વનડે શ્રેણીમાં ભારતીય ટીમનો સુકાની હશે. જ્યારે નેશનલ ક્રિકેટ એકેડમીમાં પ્રેક્ટિસ કરી રહેલા ઓપનર બેટ્સમેન કેએલ રાહુલનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આવી સ્થિતિમાં, તે લગભગ નિશ્ચિત છે કે કેએલ રાહુલ વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં ભારતીય ટીમનો ભાગ નહીં હોય.

 ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ODI શ્રેણી ઉપરાંત T20 મેચોની શ્રેણી રમશે. આ પ્રવાસમાં ભારતીય કોચ રાહુલ દ્રવિડ ઘણા નવા ચહેરાઓને અજમાવી શકે છે. જો કે, એવું માનવામાં આવી રહ્યું હતું કે ઓપનર કેએલ રાહુલ વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં ભારતીય ટીમનો ભાગ હશે, પરંતુ હવે આ બેટ્સમેનનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કેએલ રાહુલની રમતને શંકાસ્પદ માનવામાં આવી રહી છે.