New Delhi News : સુપ્રીમ કોર્ટે(SC) સમલૈંગિક લગ્ન કેસમાં આપેલા નિર્ણય પર પુનર્વિચાર કરવાનો ઈન્કાર કરી દીધો છે. આ સિવાય કોર્ટે નિર્ણય સામે પુનર્વિચારની માંગ કરતી સમીક્ષા અરજીઓને પણ ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે(SC) કહ્યું કે રેકોર્ડમાં કોઈ ખામી નથી અને ચુકાદામાં વ્યક્ત કરાયેલા મંતવ્યો કાયદા અનુસાર છે અને તેમાં કોઈપણ પ્રકારની દખલગીરી વાજબી નથી. જસ્ટિસ બીઆર ગવઈ(B R Gavai), સૂર્યકાંત(Sooryakant), બીવી નાગરથના(B V Nagarthana), પીએસ નરસિમ્હા(PS Narsimha) અને દીપાંકર દત્તા(Deepankar Datta)ની બેન્ચ ચેમ્બરે આ નિર્ણય આપ્યો હતો.
ગયા વર્ષે જુલાઈમાં, અરજદારોએ જાહેર હિતને ધ્યાનમાં રાખીને આ કેસની સુનાવણીની માંગ કરી હતી, ન્યાયમૂર્તિ એસ.કે. કૌલ(SK Kual), એસ રવિન્દ્ર ભટ(S Ravindra Bhat), મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ(Chandrachood) અને યમૂર્તિ કોહલી(Yamurti Kohli)ની નિવૃત્તિ પછી, નવી બેંચનું પુનર્ગઠન કરવું પડ્યું હતું. જસ્ટિસ સંજીવ ખન્ના(Sanjiv Khanna)એ, જે હવે ચીફ જસ્ટિસ છે, ગયા વર્ષે તેમાંથી પોતાને અલગ કરી લીધા હતા.
વાસ્તવમાં 17 ઓક્ટોબર, 2023 ના રોજ આપવામાં આવેલા તેના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટ(SC)ની બંધારણીય બેંચે સ્પષ્ટપણે કહ્યું હતું કે અમે સમલૈંગિક લગ્નને માન્યતા આપી શકતા નથી. કારણ કે આ સંસદના અધિકારક્ષેત્રનો મામલો છે. જોકે સુપ્રીમ કોર્ટે(SC) સમલૈંગિક યુગલોને સામાજિક અને કાયદાકીય અધિકારો આપવા માટે એક પેનલની રચના કરવાના સરકારના પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો.
સુપ્રીમ કોર્ટે(SC) કહ્યું કે રેકોર્ડમાં કોઈ ભૂલ નથી અને ચુકાદામાં વ્યક્ત કરાયેલા મંતવ્યો કાયદા અનુસાર છે અને કોઈ દખલ વાજબી નથી. ત્યારબાદ 5 જજોની બેન્ચમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ સંજય કિશન કૌલે સમલૈંગિક ભાગીદારીને માન્યતા આપવાની હિમાયત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે LGBTQIA+ યુગલોના અધિકારોનું રક્ષણ કરવા માટે ભેદભાવ વિરોધી કાયદો ઘડવો જરૂરી છે.
આ પણ વાંચો: વૃદ્ધ માતા-પિતાની સારસંભાળ નહીં રાખો તો નહીં મળે મિલકત; સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો
આ પણ વાંચો: 2024માં સુપ્રીમ કોર્ટે આપેલા મહત્વના ચુકાદાઓ વિશે જાણો
આ પણ વાંચો: ‘બળાત્કારીઓને નપુંસક અને પોર્નોગ્રાફિક પર પ્રતિબંધ, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને નોટિસ ફટકારી
