National News: નેશનલ હેરાલ્ડ કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમની માતા સોનિયા ગાંધીને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે મંગળવારે આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટની નોંધ લેવાનો ઇનકાર કર્યો હતો.
EDની કાર્યવાહી પર પ્રશ્નચિહ્ન
કોર્ટે સ્પષ્ટ કહ્યું કે હાલના તબક્કે ED દ્વારા રજૂ કરાયેલી ચાર્જશીટ પર સંજ્ઞાન લઈ શકાય તેમ નથી. કારણ કે આ કેસ કોઈ નોંધાયેલ FIR પર આધારિત નથી, પરંતુ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા ખાનગી ફરિયાદ દાખલ કરવામાં આવી અને મેજિસ્ટ્રેટના સમનિંગ ઓર્ડર પર આધારિત છે. કોર્ટના આ અવલોકનથી EDની તપાસ પ્રક્રિયા પર અનેક પ્રશ્નો ઊભા થયા છે.

EDના ગંભીર આરોપો
EDનો આરોપ છે કે નેશનલ હેરાલ્ડના પ્રકાશક એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ની અંદાજે ₹2,000 કરોડથી વધુ કિંમતની મિલકતો છેતરપિંડીથી કબજે કરવામાં આવી. આ મિલકતોમાંથી થતી આવકને ‘ગુનાની આવક’ ગણાવીને યંગ ઇન્ડિયન નામની કંપની મારફતે મની લોન્ડરિંગ કરવામાં આવ્યું હોવાનું EDએ દાવો કર્યો છે.
सत्य की जीत हुई है
मोदी सरकार की बदनीयत और गैरकानूनी तरीके से की गई कार्रवाई पूरी तरह से बेनकाब हो गई है.
माननीय अदालत ने यंग इंडियन मामले में कांग्रेस नेतृत्व – श्रीमती सोनिया गांधी जी और श्री राहुल गांधी जी के खिलाफ ED की कार्रवाई को अवैध और दुर्भावना से ग्रसित पाया है.…
— Congress (@INCIndia) December 16, 2025

ગાંધી પરિવારમાં સોનિયા અને રાહુલને FIRની કોપીનો હક નથીઃ SC
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને અન્ય આરોપીઓને FIRની કોપી મેળવવાનો અધિકાર ન હોવાનો ચુકાદો આપ્યો છે.
ગાંધી પરિવાર ઉપરાંત સુમન દુબે, સેમ પિત્રોડા, યંગ ઇન્ડિયન, ડોટેક્સ મર્ચન્ડાઇઝ અને સુનીલ ભંડારી પણ આ કેસમાં આરોપી છે. ઈડીએ આરોપ લગાવ્યો હતો કે નેશનલ હેરાલ્ડના પ્રકાશક એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) ની મિલકતો છેતરપિંડીથી કબજે કરવામાં આવી હતી, જેનું મૂલ્ય ₹2,000 કરોડથી વધુ હતું અને તેમાંથી પેદા થયેલી “ગુનાની આવક” નો ઉપયોગ યંગ ઇન્ડિયન નામની કંપની દ્વારા મની લોન્ડરિંગ માટે કરવામાં આવ્યો હતો.

આ પેઢીમાં ગાંધી પરિવાર બહુમતી શેરહોલ્ડર હોવાનું કહેવાય છે. EDએ આરોપ લગાવ્યો છે કે એ. જે. એલ. ની મિલકતો ગેરકાયદેસર રીતે હસ્તગત કરવાના ગુનાહિત કાવતરાના ભાગરૂપે એ. જે. એલ. ના શેર યંગ ઈન્ડિયનને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. શેરની કિંમત, એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની સ્થાવર મિલકતો અને તેમની પાસેથી મળેલું ભાડું કથિત રીતે ED દ્વારા ગુનાની આવક તરીકે દર્શાવવામાં આવ્યું છે. જોકે, કોંગ્રેસના નેતાઓએ આ આરોપોને ફગાવી દીધા છે.
આ પણ વાંચો:રાહુલ ગાંધી આજે લોકસભામાં ચૂંટણી સુધારા ચર્ચા શરૂ કરશે, ભાજપના મોટા નેતાઓ પણ જોડાશે

