રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ ઈએમઆઈથી સામાન્ય લોકોને કોઈ રાહત આપી નથી. આરબીઆઈએ વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી અને તેણે સતત ત્રીજી વખત કી પોલિસી રેટ એટલે કે રેપો રેેટ 4 ટકા પર જાળવી રાખ્યો છે. આરબીઆઈના ગવર્નર શક્તિકિંતા દાસની અધ્યક્ષતામાં નાણાંકીય નીતિ સમિતિ (એમપીસી) ની બેઠકમાં રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોઅર રેપો રેટની સીધી અસર હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોનનાં ઇએમઆઈ પર પડે છે.
Monetary Policy Committee (MPC) voted unanimously to keep the policy repo rate unchanged at 4 per cent: RBI Governor Shaktikanta Das pic.twitter.com/gBWlg1vrpa
— ANI (@ANI) December 4, 2020
RBI ગવર્નર શક્તિકિંતા દાસે ચાલુ નાણાકીય વર્ષમાં અર્થવ્યવસ્થામાં 7.5 ટકાના ઘટાડાની આગાહી કરી છે. દાસે કહ્યું કે, રિઝર્વ બેંક નાણાકીય વ્યવસ્થામાં થાપણદારોના હિતની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને નાણાકીય બજારો સુવ્યવસ્થિત રીતે કાર્યરત છે. વાણિજ્યિક બેન્કો 2019-20 માટે ડિવિડન્ડ ચૂકવશે નહીં.
The real GDP growth for 2021 is projected at minus 7.5%. The recovery in rural demand is expected to strengthen further while urban demand is also gaining momentum: RBI Governor Shaktikanta Das pic.twitter.com/vJnaoWVeBp
— ANI (@ANI) December 4, 2020
ફુગાવો શિયાળામાં ઘટવાની ધારણા છે
આરબીઆઈએ નાણાકીય નીતિમાં નરમ વલણ જાળવ્યું છે. શિયાળામાં મોંઘવારી ઓછી થવાની સંભાવના છે. દાસે કહ્યું કે નાણાકીય નીતિ સમિતિના તમામ સભ્યોએ ફુગાવાના ઉચ્ચ સ્તરને ધ્યાનમાં રાખીને નીતિ દરને યથાવત રાખવાની તરફેણમાં નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે અમે ખાતરી કરીશું કે અર્થવ્યવસ્થામાં પૂરતી રોકડ ઉપલબ્ધ છે, જો જરૂર પડે તો અમે જરૂરી પગલાં લઈશું. તેમણે એમ પણ કહ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં આર્થિક પુનરુત્થાનના પ્રારંભિક સંકેતો જોવા મળી રહ્યા છે. કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ પર આધારિત ફુગાવો ત્રીજા ક્વાર્ટરમાં +0.1 ચોથા ક્વાર્ટરમાં +0.7 ટકા રહેવાની ધારણા છે.
We are projecting GDP growth for Q3 at +0.1% and +0.7% for Q4: RBI Governor Shaktikanta Das https://t.co/EDznDqagXq
— ANI (@ANI) December 4, 2020
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
