રામ નગરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટનને હજુ છ મહિના પણ નથી થયા, પરંતુ પહેલા જ વરસાદમાં રામ મંદિરની છત લીક થવા લાગી છે. રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે પહેલા જ વરસાદમાં છત પરથી પાણી ટપકવા લાગ્યું હતું. રામલલા જ્યાં બિરાજમાન છે તે ગર્ભગૃહમાં પાણી ભરાઈ ગયા છે.
રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે પુષ્ટિ કરી કે પહેલા વરસાદમાં જ રામ મંદિરની છત લીક થવા લાગી છે. તેમણે કહ્યું હતું કે, જો એક-બે દિવસમાં વ્યવસ્થા નહીં કરવામાં આવે તો દર્શન અને પૂજા બંધ કરવી પડશે. શનિવારે રાત્રે 2 થી 5 વાગ્યા દરમિયાન વરસાદ પડ્યો હતો. ગર્ભગૃહની સામે આવેલ મંડપમાં ચાર ઈંચ પાણી ભરાઈ ગયું હતું. લોકો વીજ કરંટથી ડરતા હતા. આ કારણોસર સવારે 4 વાગ્યે આરતી ટોર્ચના પ્રકાશમાં કરવી પડી હતી. છ વાગ્યાની આરતી પણ એ જ રીતે થઈ હતી.
https://x.com/ArvindYadav1919/status/1805235328032428321
સત્યેન્દ્ર દાસે જણાવ્યું હતું કે જે નાના મંદિરો બનાવવામાં આવ્યા છે તેમાં પણ પાણી ભરાઈ ગયા છે. જે બનાવવામાં આવ્યું છે તેમાંથી શું ખૂટે છે તેના પર ધ્યાન આપવું જોઈએ. તેમણે કહ્યું કે એક તરફ રામ મંદિરમાં વરસાદી પાણી માટે ડ્રેનેજની વ્યવસ્થા નથી અને તેની ઉપર છત પરથી પાણી ટપકવા લાગ્યું છે. રામ લાલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે બાંધકામમાં બેદરકારી જોવા મળી હતી. રાત્રે વરસાદના કારણે પૂજારી સવારે પૂજા માટે ગયા ત્યારે તેમને જગ્યા પાણીથી ભરેલી જોવા મળી હતી. ભારે જહેમત બાદ મંદિરમાંથી વરસાદી પાણીને બહાર કાઢવામાં આવ્યું હતું.
