Nadiad News/ નડિયાદના એક્સપ્રેસ હાઇવે પર ગંભીર અકસ્માત,ત્રણના લોકોના મોત, બે ઘાયલ

ખેડા જિલ્લામાં માર્ગ અકસ્માતો સતત વધી રહ્યા છે. ચોંકાવનારી ઘટના નડિયાદ નજીક એક્સપ્રેસ હાઈવે પર ગઈકાલે રાત્રે બની હતી. જેમાં પુરપાટ તરફથી આવી રહેલી કારનું ટાયર અચાનક ફાટતાં અકસ્માત સર્જાયો હતો.

Top Stories Gujarat Breaking News

Nadiad News: ખેડા જિલ્લામાં માર્ગ અકસ્માતો સતત વધી રહ્યા છે. ચોંકાવનારી ઘટના નડિયાદ નજીક એક્સપ્રેસ હાઈવે પર ગઈકાલે રાત્રે બની હતી. જેમાં પુરપાટ તરફથી આવી રહેલી કારનું ટાયર અચાનક ફાટતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.

અમદાવાદ-વડોદરાને જોડતો એક્સપ્રેસ હાઇવે નડિયાદ નજીકથી પસાર થાય છે. મંગળવારે મોડી રાત્રે આ જ હાઇવે પર બિલોદરા બ્રિજ પાસે ગોઝારા અકસ્માત સર્જાયો હતો. જેમાં અચાનક ત્યાંથી પસાર થતી એક કારનું ટાયર ફાટતાં આ કાર ડિવાઈડર કૂદીને રોડની સાઈડમાં ગઈ હતી અને સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કારનો ખૂણો પલટી ગયો હતો. કારમાં સવાર એક મહિલા સહિત પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બે લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

મૃતકોના નામ

દલપતભાઈ ચમનાજી પુરોહિત

સુભઢીદેવી ચમનાજી પુરોહિત

દિનેશ પ્રભારામ પુરોહિત

અકસ્માતની જાણ થતાં જ નડિયાદ ગ્રામ્ય પોલીસ અને એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તે જ સમયે, પોલીસ મૃતકની ઓળખ જાહેર કરવાનો પ્રયાસ કરી રહી છે. દરમિયાન ઘાયલોના નિવેદન નોંધવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. મૃતકોમાં એક મહિલા અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નડિયાદમાં કપડવંજ પર રોડ પર અકસ્માતમાં રીક્ષાચાલકનું મોત

આ પણ વાંચો:નડિયાદના ગરબામાં ભારતીય ક્રિકેટર અક્ષર પટેલે કરી આરતી

આ પણ વાંચો:નડિયાદ માર્ગ અને મકાન કચેરીના તત્કાલીન સીનીયર ક્લાર્કને લાંચ કેસમાં ચાર વર્ષની કેદ