અમદાવાદ/ રામ મંદિરમાં અમદાવાદના શાહ પરિવારે 20 પ્રસાદ વેન્ડીગ મશીન આપ્યા ભેટમાં

અમદાવાદના શાહ પરિવારે 20  પ્રસાદ વેન્ડીગ મશીન અયોધ્યા રામલલ્લા મંદિર પરિસરમાં ભેટ આપ્યા છે.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: આયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન શ્રીરામ 500 વર્ષ બાદ નિજ મંદિર પરત ફરી રહ્યા છે.દેશના દરેક વ્યક્તિ આનંદ અને ઉલ્લાસથી રામ લલ્લાના પ્રાણ પ્રતિસ્થા મહોત્સવની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. ધ્વજ દંડ , નગારું , 108 ફુટ અગરબતી બાદ પ્રસાદ મશીન.જી હા,અમદવાદના શાહ પરિવારે 20 પ્રસાદ વેન્ડીગ મશીન ભેટમાં આપ્યા છે.

આપને જણાવી દઈએ કે,અયોધ્યા ભગવાન શ્રી રામલલ્લાના મંદિરમાં ગુજરાતમાંથી વધુ એક યોગદાન કરવામાં આવ્યું છે. અમદાવાદના શાહ પરિવારે 20  પ્રસાદ વેન્ડીગ મશીન અયોધ્યા રામલલ્લા મંદિર પરિસરમાં ભેટ આપ્યા છે. જેનથી દેશ દુનિયામાંથી આવતા શ્રદ્ધાળુંઓને પ્રસાદ અપાશે. “નમસ્તેજી“ પ્રસાદ વેન્ડીંગ મશીન નામ આપવામાં અવાયું છે.  ભગવાન શ્રીરામ તેમના ભક્તોને પ્રસાદ આપતા હોય તેવો અહોભાવ ઉભા કરાશે.

ઉલ્લેખનીય છે કે, સેન્સરના માધ્યમથી ઓટોમેટિક પ્રસાદ મશીન ચાલશે.દર પાંચ સેકન્ડ એક પ્રસાદનું પાઉચ નિકળશે.6 ફુટ ઉંચાઇ અને3 ફુટ બાય 25 ફુટ મશીન સાઇઝ છે. પ્રસાદ મશીનમાં 1200 થી 1400 પ્રસાદ પેકેટની ક્ષમતા છે.રામ ભક્તોનાં ધસારાને ધ્યાનમાં રાખી વધુ મશીન પણ મુકાશે.

મહત્વનું છે કે, અમદવાદમાં એક એક જાણીતા ફેશન ડિઝાઇન  હેનિસએ ભગવાન શ્રીરામની કેશરી રંગ ની કલાત્મક શેરવાની તૈયાર કરીં  છે આ શેરવાની માં  અયોધ્યા કાંડ ભગવાન રામ અને હનુમાનજીનું મિલન. ભગવાન શ્રીરામ નામ વાળા 108 જેટલા સ્લોકો જેમાં  પણ આ શેરવાની જોવા મળે છે દેશ ના ખૂણે ખૂણે થી લોકો પોતાનું યોગદાન આપી  રહ્યા છે ત્યારે ફેશન ડિઝાઈનર પણ  પોતાની રામ ભક્તિ આગવી રીતે દર્શાવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સચિન તેંડુલકરના ડીપફેક વાઇરલ વિડીયો પર પોલીસની કાર્યવાહી

આ પણ વાંચો:કોણ છે મિહિર દિવાકર જેણે ધોની સામે કર્યો માનહાનિનો કેસ, જાણો કેમ ખરાબ થયા બન્નેના સબંધો?

આ પણ વાંચો:વિરાટ કોહલીએ જીત્યો બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ, કેપ્ટન રોહિતની પ્રતિક્રિયા જોવા જેવી

આ પણ વાંચો:ટાટાને આઇપીએલના રાઇટ્સ 2,500 કરોડમાં મળ્યાં