Mahesana News : મહેસાણામાં રેલવે લાઈનમાં બોરવેલનું કૌભાંડ ઝડપાયું છે. તારંગા અંબાજી આબુ રોડ રેલવે લાઈનમાં આ બોરવેલ કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેમાં 10થી 12 ફૂટ પાઈપો જમીનમાં ફતારીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ બોરવેલ કૌભાંડમાં રેલવેના અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાનો આક્ષેપ થતા ચકચાર મચી છે. આમ બનાવટી બોરવેલ બનાવી વળતર મેળવવાના કિસ્સા સામે આવ્યા છે.
બોરવેલ કૌભાંડના ભ્રષ્ટાચાર અંતર્ગત પાટણ સાંસદે રેલવે મંત્રીને પત્ર કળીને આ અંગે જાણ કરી છે. જેમાં જમીન સંપાદનમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ વિજીલન્સને સોંપવાની માંગણી કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતના તમામ ક્લિનિકલ મેડિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સની નોંધણી હવે ફરજિયાત
આ પણ વાંચો: સતત બીજા દિવસે વધુ એક મુન્નાભાઈ એમબીબીએસની ધરપકડ, ટ્રસ્ટના નામે ચલાવતો હતો ક્લિનિક
