National News/ શિવરાજ પાટીલનું અવસાન,સંયમ અને સન્માનના નેતાનો અધ્યાયનો અંત

શિવરાજ પાટીલે સવારે 6:30 વાગ્યે તેમના લાતૂરના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા,લાતૂરની હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી.

NATIONAL Top Stories India
શિવરાજ પાટીલે સવારે 6:30 વાગ્યે તેમના લાતુર સ્થિત નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા

Mharashtra News:મહારાષ્ટ્રના લાતુરમાં ભારતના પૂર્વ ગૃહમંત્રી, સંરક્ષણ મંત્રી અને લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ શિવરાજ પાટીલનું આજે  અવસાન થયું. તેમનો જન્મ 12 ઑક્ટોબર 1935માં થયો હતો. ભારતીય સંસદીય રાજકારણમાં પાટીલ સાહેબે કરેલ યોગદાન અસાધારણ અને યાદગાર રહ્યું છે. તેમણે લોકશાહીને મજબૂત બનાવવામાં, અણગમતા પ્રસંગોમાં સ્થિરતા લાવવામાં અને લાંબા સમય સુધી વ્યવસ્થાપનક્ષમ નેતૃત્વ પૂરું પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

શિવરાજ પાટીલનું અવસાન ક્યારે અને કયા 

શિવરાજ પાટીલે સવારે 6:30 વાગ્યે તેમના લાતુર સ્થિત નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમની સારવાર લાતુરની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી. તેમની લાંબી રાજકીય કારકિર્દીમાં શિવરાજ પાટીલે અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા હતા. તેઓ લોકસભાના અધ્યક્ષ પણ હતા. તેમણે કેન્દ્રીય મંત્રીમંડળમાં વિવિધ મુખ્ય વિભાગો પણ સંભાળ્યા હતા.

પાટીલ મહારાષ્ટ્રના લાતુરથી સાત વખત સાંસદ રહી ચૂક્યા છે. તેઓ પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના પ્રશાસક પણ હતા. યુપીએ સરકારમાં શિવરાજ પાટીલને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ દેશના સંરક્ષણ પ્રધાન પણ હતા.

ઈન્દિરા ગાંધીની સરકારમાં સંરક્ષણ મંત્રી હતા

શિવરાજ પાટીલનો જન્મ 12 ઓક્ટોબર 1935ના રોજ થયો હતો. તેઓ 2004 થી 2008 સુધી ભારતના ગૃહ પ્રધાન હતા. તેમણે 1991 થી 1996 સુધી લોકસભાના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. તેઓ ભારતની 10મી લોકસભાના અધ્યક્ષ હતા. તેમણે 2010 થી 2015 સુધી પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના વહીવટકર્તા તરીકે સેવા આપી હતી. શિવરાજ પાટીલે 1980ના દાયકામાં ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના મંત્રીમંડળમાં સંરક્ષણ મંત્રી તરીકે સેવા આપી હતી.

 મુંબઈ હુમલાઓની નૈતિક જવાબદારી લીધી હતી

2008ના મુંબઈ હુમલા પછી, શિવરાજ પાટીલે 30 નવેમ્બર 2008ના રોજ તેમના ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે હુમલાઓ માટે જવાબદાર સુરક્ષા ભૂલો માટે નૈતિક જવાબદારી લીધી હતી.

સત્ય સાંઈ બાબાના કટ્ટર અનુયાયી હતા

પાટીલે હૈદરાબાદની ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનમાં સ્નાતક થયા અને બોમ્બે યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો. 1967-69 દરમિયાન તેઓ સ્થાનિક સરકાર (લાતુર નગરપાલિકા) માં કાર્યરત હતા. કેશવરાવ સોનાવણે અને માણિકરાવ સોનાવણેએ શિવરાજ પાટીલને લાતુર મતવિસ્તારમાંથી ચૂંટણી લડવાની પ્રથમ તક મેળવવામાં મદદ કરી હતી. પાટીલ પંચમસાલી લિંગાયત સમુદાયના હતા. તેમણે જૂન 1963માં વિજયા પાટીલ સાથે લગ્ન કર્યા હતા. તેમને બે દીકરા અને એક દીકરી છે. તેઓ સત્ય સાઈ બાબાના કટ્ટર અનુયાયી પણ હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસ નેતા શિવરાજ પાટીલનો વિવાદ કહ્યું- કુરાન જ નહીં ગીતામાં પણ જેહાદ છે શ્રીકૃષ્ણે ગીતામાં અર્જુનને ભણાવ્યો હતો જેહાદનો પાઠ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં આપ્યું નિવેદન તેમનાં

આ પણ વાંચો:જીતન રામ માંઝીને MSME અને રામ મોહન નાયડુને ઉડ્ડયન મંત્રાલય મળ્યું… જાણો કેબિનેટમાં સહયોગીઓને શું મળ્યું