અષાઢ માસની અમાસે એટલેકે ૧૩ તારીખે આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ થશે પણ આ ભારતમાં જોવા મળશે નહિ.
તમને જણાવી દઈએ કે આ જુલાઈ માં ૨ ગ્રહણ થવાના છે. જેની અસર દરેક રાશિના જાતકો પર થશે. એક સૂર્યગ્રહણ મહિનાના
બીજા અઠવાડિયામાં તો બીજી તરફ મહિનાના અંતમાં ચંદ્રગ્રહણ થવાનું છે.
આ ગ્રહણ ભારતમાં નહિ દેખાય જેને કારણે આ ગ્રહણ નું સુતક નહિ લાગે. એ જ બાજુ જયોતિષોનું માનવું છે કે આ ગ્રહણ ભલે
ભારતમાં ન પડે પરંતુ એની અસર પ્રકૃતિ પર સાફ રીતે જોવા મળશે.
ક્યાં દેશોમાં દેખાશે સૂર્યગ્રહણ
આ સૂર્યગ્રહણ દક્ષીણ ઓસ્ટ્રેલીયા ના મેલબર્ન, ટીવર્ત આઈલેન્ડ અને હોબાર્ટ સિવાય અનટાર્કટીકા અને ત્સ્માંનીયામાં આંશિક રૂપે
દેખાશે.
ભારતમાં આ સમયે થશે સૂર્યગ્રહણ
૧૩ જુલાઈ એ સૂર્યગ્રહણ ભારતીય સમયાનુસાર સવારે ૭ વાગીને ૧૮ મિનીટ અને ૨૩ મિનીટ થી શરુ થશે. જે ૮ વાગ્યેથી ૧૩
મિનીટ અને 5 સેકન્ડ સુધી રહેશે.
આ રાશીઓ પર થશે સૌથી વધુ અસર
જ્યોતીષોના કહેવા અનુસાર આનો પ્રભાવ ભારતમાં નહિ થાય, પણ એની અસર રાશિઓમાં જોવા મળી છે. જેને કારણે આ ગ્રહણ
ની અસર કર્ક, મિથુન અને સિહ રાશી પર થશે.