ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન અને હાલમાં બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી આજે પોતાનો 48 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. દેશનાં સૌથી સફળ કેપ્ટનમાં એક ગાંગુલીનો જન્મદિવસ ચાહકો ખૂબ ધામદૂમથી ઉજવે છે, પરંતુ આ વખતે કોવિડ-19 રોગચાળાને કારણે તેઓ આ પ્રસંગે માસ્ક વહેંચીને તેમને જ્ન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
કોરોના વાયરસને પહોંચી વળવા માટે લાગુ કરવામાં આવેલ લોકડાઉનનાં પ્રતિબંધોનાં કારણે પ્રશંસકોએ બુધવારે ગાંગુલીનાં બેહાલા સ્થિત ઘરનાં બહાર એકઠા થવાની જગ્યાએ તેમનો ફોટોવાળા માસ્કનું વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. ફેસબુક પર મહારાજા દરબારનાં નામે ગાંગુલીનાં ચાહકોનું ફેસબુક પેજ ચલાવનારા માનસ ચેટર્જીએ પીટીઆઈને કહ્યું, ‘આ વખતે તે હજી વધુ ખાસ છે કારણ કે બીસીસીઆઈ અધ્યક્ષ તરીકેનો તેમનો આ પહેલો જન્મદિવસ છે, પરંતુ તે દુર્ભાગ્યપૂર્ણ છે કે અમે કેક કાપીને ઉજવણી કરી શકીશુ નહીં. તેથી અમે માસ્ક વિતરણ કરવાનું નક્કી કર્યું છે.‘
As ‘Dada’ turns 48, let’s revisit how he took Indian cricket to great heights
Read @ANI Story | https://t.co/x25bOoT8rz pic.twitter.com/4VQ9NK3QqD
— ANI Digital (@ani_digital) July 8, 2020