ગુજરાત રાજ્યમાં અમદાવાદ, સુરત બાદ હવે રાજકોટમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજકોટમાં દિવસે ને દિવસે કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે નવા 12 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. આ સાથે રાજકોટ શહેરમાંમાં કુલ 290 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં 19 લોકોના મોત નીપજ્યાં છે.
આપને જણાવી દઈએ કે આજે રાજકોટના કોરોના વાયરસને લઈને એક મહિલાનું મોત નીપજ્યું છે. ગઈ કાલે રાત્રે જે દર્દીઓના મોત નીપજ્યા તેમાં 65 વર્ષીય ધીરુભાઈ ચાણસ્મા, 48 વર્ષીય રમણીકભાઈ પિત્રોડા, 60 વર્ષીય ભીખુભાઈ શામજીભાઈ, 29 વર્ષીયસુરજીત રોય અને વીંછીયાના 60 વર્ષીય અમીનાબેનનો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.