અંબાજી,
ભાદરવી પૂનમના મેળાના 10 દિવસ બાકી છે ત્યારે પ્લાસ્ટિક પ્રતિબંધને લઈને અંબાજીમાં વેપારીઓએ ઉગ્ર પ્રદર્શન કર્યો હતો. વેપારીઓ પોતાના વેપાર ધંધા બંધ કરીને રસ્તા પર ઉતરી આવ્યા હતા. રોષે ભરાયેલા વેપારીઓએ અંબાજી ખોડી વકલી સર્કલ પાસે ટાયરો સળગાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, અને રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. જેના પગલે પોલીસે વેપારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો.