૩૦મી જાન્યુઆરી એટલે મહાત્મા ગાંધીજીનો નિર્વાણ દિવસ. તેમના મૃત્યુના સાત દાયકા પછી પણ તેમના વિચારો અને પધ્ધતિ આજના વિશ્વ માટે પણ એટલા જ પ્રસ્તુત અને અસરકારક છે. ઓબામા, મંડેલા, કે અન્ય કોઈ વિશ્વ નેતા. ગાંધીજીના વિચારો અને આદર્શો સાથે તાલ મિલાવવાનો સંદેશો જ આ દરેકે વિશ્વને આપ્યો છે. જેને લઈને આજ રોજ ગુજરાત કોંગ્રેસ ભવન પાલડી ખાતે શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ગુજરાત કોંગ્રેસ ભવન પાલડી ખાતે ગાંધી નિર્વાણ દિનના રોજ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માં ખાસ વક્તા અને પ્રખર અર્થશાસ્ત્રી પ્રો હેમંતકુમાર શાહ દ્વારા ગાંધીજી ના વિવિધ પ્રસંગોની યાદ તાજા કરવામાં આવી હતી. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ખાસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, ગ્યાસુદીન શેખ, સિદ્ધાર્થ પટેલ વિગેરે નેતાઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.