પૂર્વ આઇપીએસ અને દબંગ અધિકારીની છાપ ધરાવતા સંજીવ ભટ્ટની સીઆઇડી ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમની, વર્ષ 1998માં પાલનપુરનાં એક વકીલ પર ખોટી રીતે કેસ કરવાની બાબતે સીઆઇડીએ સંજીવ ભટ્ટની અટકાયત કરવામાં આવી છે. તેઓ બનાસકાંઠાના એસપી હતા ત્યારે આ બનાવ બન્યો હતો.
સંજીવ ભટ્ટ તેમજ નિવૃત પીઆઇ વ્યાસ સહીત 7 લોકોની અટકાયાત કરવામાં આવી છે. હાઇકોર્ટે આ મામલે ફરી તપાસના આદેશ આપ્યા હતા. મહત્વનું છે, કે સીઆઇડી ક્રાઇમ દ્વારા એનડીપીએસ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. સંજીવ ભટ્ટ સહિત પૂર્વ પીઆઇ વ્યાસની પણ અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.
સી.આઇ.ડી ક્રાઇમ દ્વારા સંજીવ ભટ્ટની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કેસમાં ક્રાઇમ દ્વારા ધરપકડ થવાની શક્યતાઓ છે.