Morbi News : મોરબીમાં પોલીસ સ્ટેશન પર પથ્થરમારાની ઘટનાને લઈને વાતાવરણ તંગ બન્યું હતું. જેમાં શહેરના મણીમંદિર પાસે આવેલા ગેરકાયદેસર ધાર્મિક સ્થળનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. ડિમોલિશન બાદ ફાટી નીકળેલા વિરોધે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.

ધાર્મિક લાગણી દુભાવવાના આક્ષેપો
બાદમાં ધાર્મિક લાગણી દુભાવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં લોકોના ટોળાં નગર દરવાજા પાસે એકઠા થયા હતા.

તેમણે ડિમોલિશનનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો હતો.

