supreme court cases/ સ્વાતિ માલીવાલ હુમલા મામલે સુપ્રીમ કોર્ટ નારાજ ‘મહિલાને મજબૂર કરવામાં આવી હોય તેવા વર્તનથી શરમ આવે છે’

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર કથિત હુમલાના કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સહયોગી બિભવ કુમારની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ.

Top Stories India

Supreme Court News: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર કથિત હુમલાના કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સહયોગી બિભવ કુમારની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મહિલાને મજબૂર કરવામાં આવી હોય તેવા વર્તનથી શરમ આવે છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નજીકના સાથી બિભવ કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી . બિભવ પર આમ આદમી પાર્ટી (AAP) સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાનો આરોપ છે.

સુપ્રીમ કોર્ટે બિભવ કુમારને ફટકાર લગાવી
સ્વાતિ માલીવાલ હુમલા કેસમાં ન્યાયમૂર્તિ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ સુનાવણી દરમિયાન, કોર્ટે બિભવ કુમારને સખત ઠપકો આપ્યો અને પૂછ્યું કે શું મુખ્યમંત્રી નિવાસ ગુંડાઓને રાખવા માટે છે? તેમણે (બિભવ કુમાર) ગુંડાની જેમ કામ કર્યું અને મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનમાં પ્રવેશ કર્યો. મહિલાએ તેની શારીરિક સ્થિતિ જાહેર કર્યા પછી પણ તેણે તેના પર હુમલો કર્યો હતો. કોર્ટે પૂછ્યું કે શું મહિલા પર હુમલો કરતી વખતે તેમને શરમ નથી આવી?

બિભવ તરફથી હાજર રહેલા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે ત્રણ દિવસ પછી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. માલીવાલ પોલીસ સ્ટેશન ગયા પરંતુ એફઆઈઆર નોંધ્યા વગર પરત ફર્યા. જ્યારે કોર્ટે ચાર્જશીટ વિશે પૂછ્યું ત્યારે વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે અમે જે આદેશને પડકાર્યો છે તે આદેશ બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

‘અમે કોન્ટ્રાક્ટ કિલર અને હત્યારાઓને પણ જામીન આપીએ છીએ…’
જ્યારે સિંઘવીએ હત્યાના બે કેસમાં આરોપીઓને જામીન મળ્યાનો ઉલ્લેખ કર્યો, ત્યારે જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું, ‘અમને તે કેસોના સંદર્ભો ન આપો, કારણ કે અહીં કેવી રીતે ઘટના બની તે અમારા માટે ચિંતાનું કારણ છે. સ્ત્રી સાથે આવું વર્તન કરતાં તમને શરમ નથી આવતી? કોન્ટ્રાક્ટ કિલર, હત્યારાઓને અમે જામીન પણ આપીએ છીએ પણ આ કિસ્સામાં કેવું નૈતિક મનોબળ છે?’

સિંઘવીએ કહ્યું કે પહેલા દિવસે તે (પોલીસ પાસે) ગઈ હતી પરંતુ તેણે કોઈ ફરિયાદ નોંધાવી ન હતી, પરંતુ ત્રણ દિવસ પછી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ સૂર્યકાન્તે પૂછ્યું કે શું માલીવાલે 112ને ફોન કર્યો? જો હા, તો તે તમારા દાવાને જૂઠું પાડે છે કે તેણે વાર્તા ઘડેલી છે. સિંઘવીએ સ્વીકાર્યું કે તે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગઈ હતી.

જસ્ટિસ સૂર્યકાંત કાંતે પૂછ્યું કે શું મુખ્યમંત્રીનું સરકારી ઘર ખાનગી રહેઠાણ છે? શું આવા નિયમોની જરૂર છે? અમને આશ્ચર્ય થાય છે, તે નાની કે મોટી ઇજાઓ વિશે નથી. હાઈકોર્ટે બધુ બરાબર સાંભળ્યું છે. ખૂબ જ કડક વલણ અપનાવતા કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ જારી કરી અને બિભવની જામીન અરજી પર જવાબ માંગ્યો. કેસની આગામી સુનાવણી 7 ઓગસ્ટે થશે.

શું છે સ્વાતિ માલીવાલ હુમલો કેસ
બિભવ પર 13 મેના રોજ મુખ્યમંત્રી આવાસ પર AAP રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાનો આરોપ છે. દિલ્હી પોલીસે સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં 16 મેના રોજ એફઆઈઆર નોંધી હતી. સ્વાતિએ દાવો કર્યો હતો કે તે કેજરીવાલને તેમના ઘરે મળવા ગઈ હતી. ત્યાં બિભવે તેને સીએમને મળવાથી રોક્યો અને મારપીટ કરી. બિભવે તેને 7-8 થી થપ્પડ મારી હતી. પેટ અને પ્રાઈવેટ પાર્ટ પર લાત મારી. જેના કારણે તેના શર્ટના બટન તૂટી ગયા હતા. માલીવાલના કહેવા પ્રમાણે, તેના કપડાં ખુલ્લા હતા, પરંતુ બિભવે તેને મારવાનું બંધ કર્યું નહીં. બિભવે પણ ટેબલ પર માથું પછાડ્યું. કેજરીવાલ ઘરે હતા, પરંતુ તેમ છતાં કોઈ મદદ માટે ન આવ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મથુરાની કૃષ્ણ જન્મભૂમિ અને મસ્જિદ વિવાદમાં અલ્હાબાદ હાઈકોર્ટ મુસ્લિમ પક્ષની ફગાવી અરજી

આ પણ વાંચો: નોઈડામાં આગ દુર્ઘટનામાં 3 બાળકોના મોત, ઇ-રીક્ષાની બેટરીથી શોર્ટ સર્કિટ થતાં લાગી આગ

આ પણ વાંચો:વાયનાડ પ્રલયમાં 116 લોકોના મોત,UNICEFનો દાવો – દક્ષિણ એશિયામાં 60 લાખ બાળકો સંકટમાં