Not Set/ સુપ્રીમ કોર્ટે ટુલકીટ કેસ મામલે સુનાવણીનો કર્યો ઇનકાર,જો તમને પસંદ ના પડે તો નજરઅંદાજ કરો

ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડ અને એમઆર શાહની ખંડપીઠે અરજદારને કહ્યું હતું કે, જો તમને ટૂલકિટ પસંદ નથી, તો તમે તેને નજર અંદાજ કરો

Top Stories

સુપ્રિમ કોર્ટે સોમવારે કોવિડ -19 રોગચાળાને નિયંત્રિત કરવા અંગે ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છબી ખરડાવા માટે કથિતરૂપે બનાવવામાં આવેલી ટૂલકીટની પ્રાથમિક તપાસની માંગણી કરતી અરજીને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડ અને એમઆર શાહની ખંડપીઠે અરજદારને કહ્યું હતું કે, જો તમને ટૂલકિટ પસંદ નથી, તો તમે તેને અવગણો. અરજદારે તેની અરજી પાછી ખેંચી લીધી હતી.

રાજકીય પ્રચારનો એક ભાગ છે અને જો તમને તે ગમતું નથી, તો તેને અવગણો, ખંડપીઠે અરજદાર અને એડવોકેટ શશાંક શેખર ઝાને કહ્યું હતું. કહેવાતા ટૂલકીટનો ઉલ્લેખ કરતા ઝાએ કહ્યું કે (કોવિડ -19 કે) ભારતીય સ્વરૂપ જેવી પરિભાષાનો ઉપયોગ ન કરવો જોઇએ.

ખંડપીઠે કહ્યું કે ભારત લોકશાહી છે.  આર્ટિકલ 32 હેઠળની અરજીમાં આવી રાહત આપી શકાય નહીં. ખંડપીઠે અરજદારને પૂછ્યું હતું કે, (આર્ટિકલ) 32 હેઠળ દાખલ કરેલી અરજીમાં કેમ નિર્દેશો આપવા જોઈએ? લોકો પાસે તેના માટે ફોજદારી કાયદાનો ઉપયોગ કરી શકે છે.  તમે તેને પાછી લઈ શકો છે.