જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલા પછી દેશની સુરક્ષા એજન્સીઓ સાવચેત થઈ છે. આજે ઉત્તર પ્રદેશ એન્ટિ-ટેરર સ્ક્વોડ (એટીએસ) એ મોટી કાર્યવાહી કરતા દેવબંધના કેટલાક આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમાં જૈશ-એ-મોહમ્મદનો આતંકી શાહનાવાઝ અહમદ તેલીનો પણ સમાવેશ થયો છે, જે કાશ્મીરના કુલગામનો નિવાસી છે.
જાણવા મળ્યું છે કે, શાહનાવાઝ અહમદનું કામ નવા આતંકવાદીઓની ભરતી કરવાનું હતું. તે લાંબા સમયથી પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં સક્રિય હતો. 2 શંકાસ્પદ લોકોની ધરપકડ પછી, ઉત્તર પ્રદેશના ડીજીપી ઓ.પી. સિંહ, શુક્રવારે કહ્યું હતું કે દેવબંદથી બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આતંકવાદીઓના નામ શાહનાવાઝ અહમદ તિલિ અને અકિબ અહમદ છે. તેઓએ કહ્યું કે, અકબીબ અહમદે ક્યાંય એડમીશન લીધું નથી અને વિદ્યાર્થી તરીકે રહેતો હતો. તેમને તેમની પાસેથી 32 બોર બંદૂકો અને ગોળીઓ મળી છે. આ ઉપરાંત, જીહાદી ઑડિઓ, વિડિઓ અને લેખિત સામગ્રી મળી આવી છે. આ શંકાસ્પદોને ટ્રૉઝીક્ટ રિમાન્ડ પર લઈ જવાયા છે.
ડીજીપીએ જણાવ્યું હતું કે જૈશના આતંકવાદી શાહનાવાઝ અહમદ તિલિ કાશ્મીરના કુલગામમાં રહે છે, જ્યારે અકિબ અહમદ પુલ્વામામાં રહે છે. અમે બાકીના ટીમના સભ્યો શોધી રહ્યા છીએ.
આપને જણાવીએ દઈએ કે, 14 ફેબ્રુઆરીએ જમ્મુ અને કાશ્મીરના પુલવામાં એક આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલો જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં 40 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. જે આતંકી હુમલો કર્યો તે આદિલ અહમદ ડાર પણ જમ્મુ અને કાશ્મીરનો રહેવસી હતો.
એટીએસે ખાનગી હોસ્ટેલમાં કરી રેડ
મોડી રાત્રે, એટીએસ ટીમે દેવબંદના ઇદગાહ નજીકના ખાનગી હોસ્ટેલમાં વિવિધ મદરેસા તલ્બાની અટકાયત કરી હતી. કસ્ટડીમાં લેવામાં આવેલા બે કાશ્મીરના છે અને પાંચ ઓરિસ્સાના છે. જો કે, એવું જાણવા મળ્યું છે, કે જુદા જુદા સ્થળોના 10 થી 12 વ્યક્તિને પૂછપરછ માટે અટકાયત કરાઈ છે.
ગ્રેનેડ નિષ્ણાત છે પકડાયેલ આતંકી
તેમણે કહ્યું કે બંને આતંકવાદીઓ માંથી શાહનવાઝને ગ્રેનેડ નિષ્ણાત કહેવામાં આવે છે. અમે તેને ટ્રાંઝિટ રિમાન્ડમાં લઈ જઈશું અને તપાસ કરીશું કે ક્યારે તે કાશ્મીર આવ્યો હતો અને તેને ફંડિંગ કોણ પૂરું પાડતું હતું અને તેના લક્ષ્ય પર શું હતું. અમે જમ્મુ અને કાશ્મીર પોલીસના સંપર્કમાં છીએ.