Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ અને શોપિયામાં બે અલગ અલગ જગ્યાએ આતંકવાદીઓએ ગોળીબાર કર્યો છે. જેમાં શોપિયાનાં હીરપોરા વિસ્તારમાં ભાજપના નેતા અને પૂર્વ સરપંચ એજાઝ અહેમદ પર ગોળીબાર કર્યો હતો. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. બીજી બાજુ અનંતનાગના પહેલગામ વિસ્તારમાં રાજસ્થાનના એક યુગલને ગોળી મારી દેવામાં આવી છે.
સૂત્રો મુજબ, આતંકવાદીઓએ પહેલગામમાં એક પ્રવાસી કેમ્પને નિશાન બનાવ્યો હતો. અહીં જયપુરના એક કપલ ફરહા અને તબરેઝને ગોળી મારી હતી, જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ, પતિ-પત્ની બંનેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
#Terrorist fired upon and injured a lady Farha R/O Jaipur and spouse Tabrez at Yannar, #Anantnag. Injured evacuated to hospital for treatment. Area cordoned off. Further details shall follow.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) May 18, 2024
ભાજપના નેતા એજાઝ અહેમદની હત્યા
શોપિયાના હીરપોરા વિસ્તારમાં થયેલા ફાયરિંગમાં ભાજપ નેતા એજાઝ અહેમદ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આતંકવાદીઓએ ભાજપ નેતા એજાઝ અહેમદને નિશાન બનાવતાં ઘટનાની માહિતી મળતા જ સુરક્ષાદળોની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરિંગ બાદ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. જવાનો દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ કરી દેવાયું છે.
આ પણ વાંચો: રસોઈ બનાવ્યા બાદ વધેલા તેલનું શું કરવું? ICMRએ જણાવ્યું
આ પણ વાંચો: વરસાદ થશે કે નહીં… પહેલાં કેવી રીતે કરાતું હતું અનુમાન?
આ પણ વાંચો: રાતોરાત અબજોપતિ બની ગયો આ ખેડૂત, બંધ ખાતામાં આવ્યા આટલા અબજ રૂપિયા: બેંક કર્મચારીઓ પણ દંગ