ત્રણેય કૃષિ કાયદાઓને પરત ખેંચવા માટેનું બિલ લોકસભામાં પસાર થયા બાદ આજે (સોમવાર, 29 નવેમ્બરે) રાજ્યસભામાં લાવવામાં આવી શકે છે. સૂત્રોએ રવિવારે આ જાણકારી આપી હતી. સંસદનું શિયાળુ સત્ર સોમવારથી શરૂ થવાનું છે. કૃષિ કાયદા ઉપાડ બિલ 2021 લોકસભામાં ચર્ચા અને પસાર થવા માટે સૂચિબદ્ધ છે.સૂત્રોએ જણાવ્યું કે આ બિલ લોકસભા દ્વારા પસાર થયા બાદ સંસદના ઉપલા ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ બિલનો હેતુ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓને પરત કરવાનો છે, જેની સામે દેશભરના ખેડૂતો લગભગ એક વર્ષથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહ્યા છે.વિપક્ષે માંગ કરી છે કે સંસદના શિયાળુ સત્રની શરૂઆતના પહેલા દિવસે જ બિલને ઉઠાવવું જોઈએ.
કૃષિ કાયદો/
કૃષિ કાયદો પરત ખેંચવાનો બિલ લોકસભા બાદ આજે જ રાજ્યસભામાં મોકલવામાં આવશે!
ત્રણેય કૃષિ કાયદાઓને પરત ખેંચવા માટેનું બિલ લોકસભામાં પસાર થયા બાદ આજે (સોમવાર, 29 નવેમ્બરે) રાજ્યસભામાં લાવવામાં આવી શકે છે
