નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે અર્થવ્યવસ્થામાં સુધારો જોવા મળી રહ્યો છે. કોરોના રોગચાળાના સમયમાં પણ જીએસટી સંગ્રહ અને વિદેશી રોકાણમાં વધારો થયો છે. માનવામાં આવે છે કે, નાણામંત્રી નિર્મલા સીતારામણ આગામી રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. મોદી સરકાર અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે બીજા એક ઉત્તેજક પેકેજની ઓફર કરી શકે છે. જેના કારણે કોરોના વાયરસ રોગચાળાને કારણે સુસ્ત રહેલી અર્થવ્યવસ્ત વેગવંતી બને છે.
સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે અર્થતંત્રને ઐતિહાસિક સંકોચનમાંથી બહાર કાઢવા માટે આ અઠવાડિયે 20 અબજ ડોલર (1488 અબજ રૂપિયા)ના આર્થિક પેકેજની જાહેરાત કરી શકાય છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરને વેગ આપવા માટે સરકારે 10 સેક્ટરમાં 2 લાખ કરોડ રૂપિયાના પ્રોડક્શન-લિંક્ટેડ પ્રોત્સાહન (પી.એલ.આઇ.) ની જાહેરાત કરી દીધી છે. ઓટો, ફાર્મા, ટેલિકોમ, ટેક્સટાઇલ, ફૂડ પ્રોડક્ટ્સ, સોલર પીવી જેવા ક્ષેત્રોમાં ઉત્પાદન પ્રોત્સાહન આપવામાં આવશે.
છેલ્લે પ્રોત્સાહક પેકેજ મે મહિનામાં આવ્યું હતું
ભારત સરકારનું અગાઉનું સ્ટીમ્યુલસ પેકેજ કે જે મે માસ માં આવ્યું હતું, તે કોરોના વાયરસ અને લોકડાઉનથી અર્થતંત્રને પડેલા આંચકોને પહોંચીવડવામાં સંપૂર્ણ રીતે સફળ નહોતું. આ પેકેજનું ઉદ્દેશ્ય કેન્દ્ર પ્રવાહીતા વધારવા અને નાના ઉદ્યોગોને સરળ ક્રેડિટ આપવાનું હતું. પરંતુ ખર્ચને વેગ આપવા માટે વધુ કરવામાં આવ્યું નહોતું. આવનાર પેકેજમાં સૌથી વધુ અસરગ્રસ્ત ક્ષેત્રો જેવા કે પર્યટન, આતિથ્ય અને ઉડ્ડયન વિગેરેને પણ લાભ મળે તેવું જોવામાં આવી રહ્યું છે.
લોકડાઉન દરમિયાન 23.9 ટકા સંકોચન
કેટલાક વર્ષો પહેલા, ભારતીય અર્થવ્યવસ્થા માટે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) એ સંકેત આપ્યો હતો કે તે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રમાં શામેલ થશે. પરંતુ માર્ચમાં લોકડાઉનને કારણે કોરોના રોગચાળાને કારણે 23.9 ટકાનો સંકોચન થયું. દેશના મોટા શહેરોમાં હજી પણ કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે, અને દરરોજ 40 હજારથી વધુ કેસ આવી રહ્યા છે. જો કે, છેલ્લા ત્રણ મહિનામાં પહેલીવાર સક્રિય કેસ 5 લાખથી નીચે આવ્યા છે. જો કે, ધીમેધીમે સરકારે મોટાભાગના પ્રતિબંધો હટાવી લીધા છે.
https://www.facebook.com/watch/?v=773980256515707
