અક્ષય તૃતીયાનો તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષના ત્રીજે ઉજવવામાં આવે છે. અક્ષય તૃતીયાને અખાત્રીજ પણ કહેવામાં આવે છે. હિન્દુ કૅલેન્ડર મુજબ, આ તારીખને શુભ તિથી માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે કોઈ શુભકાર્યની શરૂઆત કરી શકાય છે. આ તારીખે કોઈપણ શુભ કામની શરૂઆત કરવામાં આવેતો તે ખંડિત થતું નથી.
ગ્રંથો અનુસાર, અક્ષય તૃતીયાને સતયુગ અને ત્રેતાયુગાની શરૂઆત માનવામાં આવે છે. તે જ દિવસે વૃંદાવનના શ્રી બાંકેબિહારી ના મંદિરમાં,વર્ષમાં એકવાર જ ચરણ દર્શન આ દિવસે થાય છે. આ શુભ દિવસે, મહાભારતનું લખાણ લખવાની શરૂઆત વેદ વ્યાસ અને ભગવાન ગણેશ દ્વારા કરવામાં આવી હતી.
તે જ દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામની જન્મ જયંતિ પણ છે. ભગવાન વિષ્ણુના અવતાર નર-નારાયણ અને હિયગ્રીવ અને ભ્રહ્માજીના પુત્ર અક્ષયનો જન્મ થયો હતો. આ ઉપરાંત, પૃથ્વી પર ગંગાનું આગમન અને મહાભારતની લડાઈનો અંત થયો હતો.
અક્ષય તૃતીયા પર, વનવાસ જતા પાંડવોને ભગવાન શ્રીકૃષ્ણે અક્ષયપાત્ર આપ્યું હતું. આ ઉપરાંત, ભગવાન કૃષ્ણએ તેમના બાળપણના મિત્ર સુદામાની દરિદ્રતા દૂર કરીને સમૃદ્ધિ પ્રદાન કરી હતી.
અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવતી ખરીદી શુભ માનવામાં આવી રહી છે.