વડોદરા
વડોદરાના વાઘોડીયા ગામમાં પ્રથમ વખત જગન્નાથ મહારાજની રથયાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે સ્થાનિક ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી આગ ઝરતું નિવેદન કરતા કહ્યું કે મને રથયાત્રા માટે સરકાર કે સરકારી તંત્રની કોઈ જરૂર નથી.
અધિકારીઓ કામ કરતા નથી તેવા આક્ષેપ સાથે નારાજ થયા હતા ત્યાર બાદ નીતિન પટેલ સાથે મુલાકાત પણ કરી હતી અને પોતે હવે નારાજ ન હોવાનું જણાવ્યું હતું.
પરંતુ આજે ફરી મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા ગામમાં પ્રથમવાર નીકળનારી રથયાત્રામાં મને સરકાર કે સરકારી તંત્રની મદદની જરૂર નથી ગ્રામજનો મારી સાથે છે તેવું નિવેદન કરતા ફરીથી મધુ શ્રીવાસ્તવની નારાજગી દુર થઇ છે કે કેમ તેવા તર્ક વિતર્ક શરુ થયા છે.
