Replace Sourav Ganguly: ભારતની 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમના હીરો રોજર બિન્ની ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના પ્રમુખ તરીકે સૌરવ ગાંગુલીની જગ્યા લેશે. ગાંગુલી છેલ્લા ત્રણ વર્ષથી BCCIના અધ્યક્ષ છે અને તે 18 ઓક્ટોબરે યોજાનારી બોર્ડની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં બિન્ની માટે પદ છોડશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર જય શાહ સતત બીજી ટર્મ માટે BCCI સેક્રેટરી તરીકે ચાલુ રહેશે. આ સિવાય શાહ ICC બોર્ડમાં ગાંગુલીનું સ્થાન પણ લેશે.
રોજર બિન્ની કોણ છે
મિડિયમ પેસ બોલર રહેલા બિન્નીએ 1983ના વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ તેમણે આઠ મેચમાં 18 વિકેટ લીધી જે તે ટુર્નામેન્ટનો રેકોર્ડ હતો.
Former India cricketer Roger Binny (pic 1) is likely to become BCCI president replacing Sourav Ganguly. Jay Shah (pic 2) to continue as the Secretary while Maharashtra BJP MLA Ashish Shelar (pic 3) likely to be the Treasurer replacing Arun Dhumal: Sources
(File photos) pic.twitter.com/AKAVjgSczs
— ANI (@ANI) October 11, 2022
બિન્ની 18 ઓક્ટોબરે મુંબઈમાં યોજાનારી BCCI AGMમાં સત્તાવાર રીતે પદભાર સંભાળશે. તમામ ઉમેદવારો સર્વસંમતિથી ચૂંટાયા હોવાથી કોઈપણ પદ માટે ચૂંટણી થશે નહીં.
પ્રમુખપદ માટે બિન્નીની પસંદગી આશ્ચર્યજનક હતી
BCCIના એક સૂત્રએ કહ્યું, “રોજર એક સારો વ્યક્તિ છે જેણે ભારત માટે રમતી વખતે દેશનું નામ રોશન કર્યું હતું. તે વર્લ્ડ કપનો હીરો છે અને તેની સ્વચ્છ છબી છે. જ્યારે તેમનો પુત્ર સ્ટુઅર્ટ ભારતીય ટીમમાં પસંદગીનો દાવેદાર બન્યો ત્યારે તેમણે પસંદગી સમિતિમાંથી રાજીનામું આપ્યું હતું.
રાજીવ શુક્લા ઉપઅધ્યક્ષ તરીકે ચાલુ રહેશે
BCCIના પદાધિકારીઓમાં એકમાત્ર કોંગ્રેસી રાજીવ શુક્લા બોર્ડના ઉપાધ્યક્ષ તરીકે ચાલુ રહેશે. ખેલ મંત્રી અનુરાગ ઠાકુરના નાના ભાઈ અરુણ સિંહ ધૂમલ હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના અધ્યક્ષ બનશે. તેઓ બ્રિજેશ પટેલનું સ્થાન લેશે.
આશિષ શેલાર નવા કોષાધ્યક્ષ બનશે
મહારાષ્ટ્ર બીજેપી નેતા આશિષ શેલાર બોર્ડના નવા કોષાધ્યક્ષ હશે, જેનો અર્થ છે કે તેઓ મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ના પ્રમુખ બની શકશે નહીં. તેઓ શરદ પવાર જૂથના સમર્થનથી આ ભૂમિકા ભજવવાના હતા. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના નજીકના સાથી દેવજીત સાયકિયા નવા સંયુક્ત સચિવ હશે. તેઓ જયેશ જ્યોર્જનું સ્થાન લેશે. BCCI આઈસીસી અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે કે નહીં તે હજુ નક્કી થયું નથી. BCCIના સૂત્રોએ જણાવ્યું કે, “કેન્દ્ર સરકારના એક પ્રભાવશાળી મંત્રીએ બોર્ડના પદાધિકારીઓની પસંદગીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.”
IPLના ચેરમેન પદની ઓફર કરવામાં આવી
સોમવારે સાંજે મુંબઈ પહોંચેલા ગાંગુલીએ ઘણા પ્રભાવશાળી લોકો સાથે વાતચીત કરી. ગાંગુલી BCCIના પ્રમુખ તરીકે ચાલુ રાખવા ઈચ્છતા હતા પરંતુ તેમને કહેવામાં આવ્યું કે બોર્ડના અધ્યક્ષ પદના કિસ્સામાં આ પ્રથા નથી. BCCIના સૂત્રોના જણાવ્યા અનુસાર, સૌરવને IPLના ચેરમેન પદની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેcણે તેને નમ્રતાથી નકારી કાઢી હતી. તેમની દલીલ એવી હતી કે એક વખત તેઓ BCCIના પ્રમુખ હતા ત્યારે તેઓ તેની પેટા સમિતિનું નેતૃત્વ કરી શકતા ન હતા. પ્રમુખ પદ માટે બિન્નીની પસંદગી જોકે ચોંકાવનારી હતી.
આ પણ વાંચો: Gandhinagar/ વિશ્વ બાલિકા દિવસ: મનીષાબેન વકીલે ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની કરી ઉજવણી
