plant/ ઘરની અંદર વાવો ઔષધીય ગુણોથી ભરપૂર આ છોડ, થશે અનેક ફાયદા

ઘરમાં ઇન્ડોર છોડ લગાવવાથી તમારા ઘરની સુંદરતા તો વધે જ છે પરંતુ આ છોડમાં રહેલા ઔષધીય ગુણો પણ તમને લાભ આપે છે

Trending Lifestyle
plant ઘરની અંદર વાવો ઔષધીય ગુણોથી ભરપૂર આ છોડ, થશે અનેક ફાયદા

ઘરમાં ઇન્ડોર છોડ લગાવવાથી તમારા ઘરની સુંદરતા તો વધે જ છે પરંતુ આ છોડમાં રહેલા ઔષધીય ગુણો પણ તમને લાભ આપે છે. નિષ્ણાંતોના મતે, જો તમને ઇન્ડોર છોડ લગાવવાનું પસંદ છે, તો ઘરમાં સ્પાઈડર પ્લાન્ટ લગાવો. જેનાથી ઘણા ફાયદા થાય છે.

હવા શુદ્ધ થાય

સ્પાઈડર પ્લાન્ટ ઘરમાં રાખવાથી હવા શુદ્ધ થાય છે. ઘરમાં સ્પાઈડર પ્લાન્ટ લગાવવાથી હવામાં રહેલા હાનિકારક રસાયણો જેમ કે ટોલ્યુએન, કાર્બન મોનોક્સાઇડ, ઝાયલીન, ફોર્માલ્ડીહાઈડ દૂર કરવામાં મદદ મળે છે.

ઓક્સિજનનું સ્તર વધે છે

ઘરમાં સ્પાઈડર પ્લાન્ટ રાખવાથી ઘરની અંદર ઓક્સિજનનું સ્તર વધે છે. શ્વસન સંબંધી રોગોના દર્દીઓ માટે ઘરમાં સ્પાઈડર પ્લાન્ટ રાખવો ફાયદાકારક રહેશે.

ઔષધીય ગુણોનો લાભ

વારંવાર તણાવમાં રહેતા હોય એ લોકો માટે પણ આ પ્લાન્ટ મદદરૂપ બને છે. સ્પાઈડર પ્લાન્ટ તમારા મૂડને વધારવામાં મદદરૂપ છે. તે કોર્ટિસોલનું સ્તર ઘટાડે છે, જે તણાવ સાથે સંકળાયેલ હોર્મોન છે. ઔષધીય ગુણો ધરાવતો સ્પાઈડર પ્લાન્ટ તણાવ અને હતાશાને દૂર કરવામાં મદદરૂપ છે. આ ઉપરાંત સ્પાઈડર પ્લાન્ટને ઘરની અંદર રાખવાથી ઝડપી પુનઃપ્રાપ્તિમાં પણ મદદ મળશે. એવું માનવામાં આવે છે કે સ્પાઈડર પ્લાન્ટને દર્દીના રૂમમાં રાખવાથી બ્લડ પ્રેશર, હૃદય રોગ અને તણાવની સ્થિતિમાં ફાયદો થાય છે.

આ પ્લાન્ટમાં કોઇ પણ પ્રકારનું હાનિકારક ઝેર નથી હોતું, માટે ઘરમાં પાળતુ પ્રાણી હોય તો પણ તમે તેને લગાવી શકો છો. તે ઉચ્ચ ઓક્સિજન ક્ષમતા ધરાવે છે, જે પાલતુ પ્રાણીઓને પણ લાભ આપે છે.