અમદાવાદ/ ગુજરાતના મુખ્યમંત્રી કોરોના સંક્રમિત હોવાથી રથયાત્રાની વર્ષો જૂની આ પરંપરા તૂટશે,જાણો

આ રથયાત્રા જગન્નાથપુરી બાદ રાજ્યની સૌથી મોટી રથયાત્રા છે, રથયાત્રાને માંડ એક દિવસ રહ્યો છે ત્યારે વર્ષોની પરંપરા તૂટે તેવી પુરી શક્યતા રહેલી છે.

Top Stories Gujarat
રથયાત્રા

અમદાવાદની રથયાત્રા શ્રદ્વાળુઓ માટે ખુબ મહત્વની છે, આ રથયાત્રા જગન્નાથપુરી બાદ રાજ્યની સૌથી મોટી રથયાત્રા છે, રથયાત્રાને માંડ એક દિવસ રહ્યો છે ત્યારે વર્ષોની પરંપરા તૂટે તેવી પુરી શક્યતા રહેલી છે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત થતા તે હોમ આઇસોલેટ થયા છે. તેઓ કોરોના પોઝિટિવ મળી આવતા રથયાત્રામાં કરવામાં આવતી પહિંદવિધી પર પ્રશ્ન ઉભો થયો છે.

રથયાત્રા / જગન્નાથ રથયાત્રામાં પત્ની રુક્મિણીનો રથ કેમ નથી? જાણો કારણ

ઉલ્લેખનીય છે કે વર્ષોની પરંપરા રહી છે કે પહિંદવિધિ મુખ્યમંત્રી કરતા હોય છે,પરતું આ વખતે તે પરંપરા તૂટી જશે. રથયાત્રાની સુરક્ષા માટે પોલીસ મહિના પહેલાથી તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. આ વર્ષે રથયાત્રાની વિધિ પહિંદવિધી મુખ્યમંત્રી કરી શકશે નહી તો કોણ કરશે તેની હાલ ચર્ચા ચાલી રહી છે. છેલ્લા બે વર્ષથી રથયાત્રા બંધ હતી જ્યારે હવે રથયાત્રા નિકળવાની છે ત્યારે જ મુખ્યમંત્રી કોરોના પોઝિટિવ થતા હવે પહિંદવિધિ કોણ કરશે તે સૌથી મોટો સવાલ થઇ રહ્યો છે.