આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા દેશભરમાં ચૂંટણીનો માહોલ જામવા લાગ્યો છે. નેતાઓની રેલીઓ અને જાહેર સભાઓ શરૂ થઈ ગઈ છે. પક્ષોએ પોતપોતાનું સ્ટેન્ડ નક્કી કરી લીધું છે અને નેતાઓની વિવાદાસ્પદ વાતો પણ શરૂ થઈ ગઈ છે. આ વખતે તેની શરૂઆત કોંગ્રેસના મહાસચિવ અને રાજ્યસભા સાંસદ રણદીપ સિંહ સુરજેવાલાએ કરી છે. તેમણે હરિયાણાના કૈથલમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થકોને રાક્ષસ ગણાવ્યા છે.
#WATCH | In Kaithal, Haryana, Congress MP Randeep Surjewala says, "…Those who vote for BJP and are BJP supporters are of 'raakshas' (demons) tendency. I curse from this land of Mahabharat…"
(13.08.2023) pic.twitter.com/IGuouzalbS
— ANI (@ANI) August 14, 2023
કૈથલમાં એક જાહેર સભાને સંબોધતા સુરજેવાલાએ કહ્યું, “જે કોઈ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપે છે અથવા જે કોઈ તેમને મત આપે છે તે રાક્ષસી સ્વભાવના છે. હું તેમને મહાભારતની ભૂમિથી શ્રાપ આપું છું.” તેમણે કહ્યું કે રાજ્યની ભાજપ-જેજેપી સરકાર એક રાક્ષસ છે જે યુવાનો પાસેથી નોકરીની તકો પણ છીનવી રહી છે. સરકાર નથી ઈચ્છતી કે અહીંના યુવાનો નોકરી કરે અને તેમનું ભવિષ્ય સારું બનાવે.
गांधी परिवार की गुलामी की जंजीरों में लिपटे रणदीप सुरजेवाला बोल रहे हैं- 'भाजपा को वोट देने वाली देश की जनता ‘राक्षस’ है।'
यह बयान करोड़ों देशवासियों का अपमान है। जिसका मुहतोड़ जवाब देश की जनता देगी।
भाजपा के लिए तो जनता ही भगवान है और उसका पुजारी भाजपा का हर एक कार्यकर्ता है। pic.twitter.com/7vmBjXAXdy
— विश्वास कैलाश सारंग (@VishvasSarang) August 14, 2023
બીજી તરફ સુરજેવાલાના આ નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીએ તેમના પર આકરા પ્રહારો કર્યા છે. મધ્યપ્રદેશ સરકારના મંત્રી વિશ્વાસ સારંગે કહ્યું કે, “ગાંધી પરિવારની ગુલામીની સાંકળોમાં લપેટાયેલા રણદીપ સુરજેવાલા કહી રહ્યા છે- ‘ભાજપને મત આપનાર દેશની જનતા ‘રાક્ષસ’ છે.” આ નિવેદન કરોડો દેશવાસીઓનું અપમાન છે.. જેનો યોગ્ય જવાબ દેશની જનતા આપશે. ભાજપ માટે જનતા જ ભગવાન છે અને તેની પૂજા કરનાર ભાજપનો દરેક કાર્યકર છે.”
આ પણ વાંચો:DRIની મોટી સફળતા, દીપડાની ચાર ચામડી સાથે 8ની ધરપકડ
આ પણ વાંચો:મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- શું કોંગ્રેસ પર આરોપ લગાવવાથી મણિપુર હિંસા ખતમ થશે?
આ પણ વાંચો:થાણેની છત્રપતિ શિવાજી હોસ્પિટલમાં એક જ રાતમાં 21ના મોત, જાણો કારણ
આ પણ વાંચો:‘જાકો રાખે સૈયાં માર સકે ના કોઈ’, હાઈકોર્ટે આપ્યો ગર્ભપાતનો આદેશ, જીવતો જન્મ્યો બાળક
