TMC leader : મોરબીની હોનારતમાં 135 લોકોના મોત નિપજયા છે.આ મામલે હજપુણ જે કંપનીનો કોન્ટ્રાકટ હતો તેના માલિકની ધરપકડ કરવામાં આવી નથી આ મામલે ટીએમસીના નેતાએ મોદી અંગે ટીકા કરી હતી જેના લીધે ધરપકડ કરવામાં આવી છે. ણમૂલ કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા અને આરટીઆઈ એક્ટિવિસ્ટ સાકેત ગોખલેને ગુજરાત પોલીસ રાજસ્થાનના જયપુર એરપોર્ટ પરથી ઝડપી લાવી છે. તેમની ધરપકડ પછી તેમને કોર્ટમાં પણ રજૂ કર્યા હતા જ્યાંથી પોલીસને તેમના 2 દિવસના રિમાન્ડ મળ્યા છે. મોરબીની ઘટના મામલે ટ્વીટ કરવામાં ગોખલેને કાયદાનો સકંજો લાગ્યો છે.
નોંધનીય છે કે સાકેત ગોખલે પર મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ છે. ટીએમસીના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયને આ મામલે કહ્યું હતું કે, સોમવારે સાકેત નવી દિલ્હીથી જયપુર ફ્લાઈટમાં ગયા હતા ત્યાં ઉતરતાની સાથે જ ગુજરાત પોલીસે તેમની ધરપકડ કરી છે. અમદાવાદ સાયબર સેલમાં તેમની સામે ખોટો કેસ કરાયો છે. તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષ ચુપ થઈ જશે નહીં. પોલીસે માત્ર તેમને એક કોલ કરવાની પરવાનગી આપી હતી જેમાં તેમણે પોતાની ધરપકડ અંગે માતાને ફોન કરીને જાણ કરી હતી.
