ધુળેટીનો તહેવાર રાજકોટના બે યુવાનો માટે જાણે કાળ બનીને આવ્યો હતો.રાજકોટના ત્રંબા નજીક વડાલી પાસે કેનાલમાં ન્હાવા પડેલા બે યુવાનોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ 108ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બન્ને યુવાનો રાજકોટના રહેવાસી જોવાનું જાણવા મળે છે.બનાવની આજે બપોરે ચારેક વાગ્યા આસપાસ યુવાનો કેનાલમાં ડૂબ્યા હોવાની જાણ થતાં 108ના ઈએમટી દિવ્યાબેન બારડ અને પાયલોટ મનસુખભાઈ એમ્બ્યુલન્સ સાથે દોડી ગયા હતા.
Earth Quake / ધરતીકંપના આંચકાથી ધ્રુજ્યું આંદામાન અને નિકોબાર, રીક્ટર સ્કેલ પર તીવ્રતા 4.1 નોધાઇ
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે આ યુવાનો પોતાના મિત્રો સાથે ન્હાવા માટે ગયા હતા. તેમને ડૂબતા જોઈ અન્ય મિત્રોએ બચાવવા પ્રયાસ કર્યો હતો. જ્યાર બાદ સ્થાનિકોની મદદથી બન્ને યુવાનના મૃતદેહોને બહાર કઢાયા હતા. મૃતકોમાં એક યુવાનનું નામ કમલેશ પ્રજાપતિ અને બીજા યુવાનનું નામ અર્જુન લક્ષ્મણભાઈ ભુવા છે. બન્ને આજી ડેમ ચોકડી પાસે આવેલા પાર્કના રહેવાસી છે.
આંતકી હુમલો / ભાજપ પ્રદેશ સચિવ અને BDC અધ્યક્ષ પર હુમલો, હુમલામાં એક PSO શહીદ, એક નાગરિકનું મોત
આ ઘટનાના અહેવાલ પ્રાપ્ત થયા બાદ રાજકોટ આજી ડેમ પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો છે. અને પંચનામું તથા જરૂર કાગળ કાર્યવહી થયા બાદ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાશે. યુવાનો કઈ રીતે ડૂબ્યા તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મોરવાહડફ / વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…