સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) એ કોરોના વાયરસ સંકટ અંગે ફસાયેલા ભારતીયો અને અન્ય દેશોના નાગરિકોને પરત ફરવાની ઓફર કરી છે પરતું જો તેમનો કોવિડ -19 તપાસ અહેવાલ નકારાત્મક આવે તો જ તેઓ સવ્દેશ પાછા જઈ શકશે. ભારતમાં નિયુક્ત યુએઈના રાજદૂતે ગલ્ફ ન્યૂઝને જણાવ્યું છે.
ભારતમાં યુએઈના રાજદૂત રેહમાન અલ બન્નાએ શનિવારે ગલ્ફ ન્યૂઝને ફોન પર જણાવ્યું હતું કે યુએઈના વિદેશ અને આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રાલયે ભારતીય સહિત છેલ્લા એક કે બે અઠવાડિયામાં દેશમાં હાજર તમામ દૂતાવાસોને પત્રો મોકલ્યા છે. રાજદૂતને ટાંકતા અખબારે જણાવ્યું છે કે, અમે આ પત્ર મોકલ્યો છે અને યુએઈમાં ભારતીય દૂતાવાસ અને ભારતના વિદેશ મંત્રાલય સહિત તમામ દૂતાવાસોને જાણ કરી દીધી છે. તેમણે કહ્યું કે યુએઈએ અહીંથી ઘરે પાછા ફરવા માંગતા લોકોને તપાસ કરવાની ઓફર કરી છે.
તેમણે કહ્યું, “અમે દરેકને ખાતરી આપી રહ્યા છીએ કે અમારી પાસે શ્રેષ્ઠ સુવિધાઓ, શ્રેષ્ઠ પરીક્ષણ કેન્દ્રો છે અને અમે 5,00,000 થી વધુ લોકોની તપાસ કરી છે,” તેમણે ઉમેર્યું, “જેમની કોવિડ -19 તપાસ અહેવાલ હકારાત્મક છે તેઓએ યુએઈમાં જ રહેવું પડશે. તેમની સારવાર અહીં કરવામાં આવશે.
રાજદૂતે કહ્યું, “કેટલાક કારણોસર અમે યુએઈમાં ફસાયેલા લોકોને વિમાન દ્વારા પરત મોકલવાની ખાતરી આપી રહ્યા છીએ.” ભારતમાં લોકડાઉન અને એરપોર્ટ બંધ થવાને કારણે કેટલાક લોકો અટવાઈ ગયા હતા. કેટલાક લોકો યુએઈની મુલાકાતે આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, કેરળ હાઇકોર્ટે શનિવારે રોગચાળાને કારણે ખાડી દેશોમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની અરજી પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો.
મંતવ્ય ન્યૂઝ‘ તમામ લોકોને અપીલ કરે છે કે, બીનજરૂરી ઘરની બહાર ન નીકળો, સરકાર દ્વારા આપવામાં આવેલ સલાહ અને સુચનોનું પાલન કરી સહકાર આપો. સાવચેત રહો – સતર્ક રહો – સુરક્ષિત રહો. દેશ–દુનિયાનાં સમાચારની પળેપળની અપડેટ વાંચવા માટે મુલાકાત લો “મંતવ્ય ન્યૂઝ” – https://mantavyanews.com/ #કોરોનાસામેલડત #કોરોનાનાંવધતાંકેસ #કોરોનાવૈશ્વિકમહામારી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને , ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.