મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની ગઠબંધન સરકાર છે. દરમિયાન બે દિવસ પહેલા શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેએ બળવો કર્યો હતો. શિંદે આસામના ગુવાહાટીમાં શિવસેનાના લગભગ 40 ધારાસભ્યો સાથે છે અને પોતાને અસલી શિવસેના ગણાવે છે. તેમણે સીએમ ઉદ્ધવ ઠાકરે સમક્ષ ભાજપ સાથે સરકાર બનાવવાની શરત મૂકી છે,આ રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે એ સાંજે સોશિયલ મીડિયા પર લાઇવ આવ્યા હતા,અને અંતે તેમણે આ મામલે અનેક બાબતો પર ખુલાસો કર્યો હતો.
#WATCH | Luggage being moved out from Versha Bungalow of Maharashtra CM Uddhav Thackeray in Mumbai pic.twitter.com/CrEFz729s9
— ANI (@ANI) June 22, 2022
ઉલ્લેખનીય છે કે હાલમાં મુખ્યમંત્રી નવાસ ઉદ્વવ ઠાકરેએ છોડ્યું છે અને તમામ સામાન સાથે તે પોતાના ઘર માતોશ્રી જઇ રહ્યા છે. આ મામલે શિવસૈનિકો તેમને સમર્થન આપવા માટે એકત્રિત થયા છે. આગામી રણનીતિ શું હશે ,રાજકીય સમીકરણો શું રચાશે તે ગણતરીનો દિવસોમાં ખબર પડી જશે. હાલ મહારાષ્ટ્રમાં પોસ્ટર યુદ્વ શરૂ થઇ ગયુ છે. ઉદ્વવ ઠાકરેના સમર્થનમાં લોકો આવી રહ્યા છે.