કેન્દ્રીય માર્ગ અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે કહ્યું કે, સરકારનો પેટ્રોલ અને ડીઝલ વાહનો ઉપર પ્રતિબંધ મૂકવાનો કોઈ ઇરાદો નથી. તેમણે કહ્યું, ‘આ અંગે વાટાઘાટો પણ થઈ છે અને સરકારને સૂચનો મળ્યા છે કે પેટ્રોલ-ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. હું સ્પષ્ટ કરવા માંગું છું કે સરકારનો પેટ્રોલ અને ડીઝલ વાહનો ઉપર પ્રતિબંધ મૂકવાનો કોઈ ઇરાદો નથી.
નવા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ભારે દંડ લાદવા અંગે મંત્રીએ કહ્યું, ‘સરકાર દંડની રકમ વધારવા માંગતી નથી. મુદ્દો એ છે કે એક એવો સમય હોવો જોઈએ કે કોઈને સજા ન થાય અને તમામ નિયમોનું પાલન થાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.