કોરોના દેશભરમાં કહેર વરસાવી રહ્યો છે. જેનાથી ડરીને લોકો જુદા જુદા ઉપાય પગલાઓ અપનાવી રહ્યા છે, જે અમુક સમયે કોરોના કરતા વધુ જોખમી સાબિત થઈ રહ્યા છે. સોમવારે, આરોગ્ય મંત્રાલયે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં એઈમ્સના ડિરેક્ટર ડો.રનદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, કોરોનાની શરૂઆતમાં સીટી સ્કેન કરવાનો કોઈ ફાયદો નથી. ઘણી વખત પેચેજ આવતા નથી, પરંતુ તે સારવાર સાથે સમાપ્ત થાય છે. પરંતુ જો તમને સીટી સ્કેનની જરૂર નથી, તો તે બિલકુલ કરશો નહીં. આ તમને કેન્સરના જોખમમાં મૂકી શકે છે.
ડો. ગુલેરિયાએ કહ્યુ કે રેડિએશનના એક ડેટાનું વિશ્લેષણ કરવા પર જાણવા મળે છે કે લોકો ત્રણ-ત્રણ દિવસમાં સીટી સ્કેન કરાવી રહ્યા છે. આ સિવાય ગુલેરિયાએ એક અન્ય ખાસ વાત જણાવી. તેમણે કહ્યું કે, જો તમે પોઝિટિવ છો અને તમારામાં હળવા લક્ષણ છે તો તમારે સીટી સ્કેન કરાવવાની જરૂર નથી. કારણ કે સીટી સ્કેન કરાવવામાં જે રિપોર્ટ સામે આવે છે તેમાં થોડી ફોલ્લીઓ આવી જાય છે, જેને જોઈને દર્દી પરેશાન થઈ જાય છે.
"कोरोना के माइल्ड लक्षण हों तो सीटी स्कैन की ज़रुरत नहीं" – एम्स, नई दिल्ली के निदेशक, डॉ रणदीप गुलेरिया @PMOIndia @drharshvardhan @AshwiniKChoubey @PIB_India @mygovindia @COVIDNewsByMIB @CovidIndiaSeva pic.twitter.com/WvqaJKMpDj
— Ministry of Health (@MoHFW_INDIA) May 3, 2021
આ પણ વાંચો : શું ખરેખર 5G ટાવરનાં ટેસ્ટિંગથી ફેલાય છે કોરોના? જાણો શું કહે છે WHO
ડો. ગુલેરિયા પ્રમાણે જો તમે કોરોના પોઝિટિવ છે પરંતુ તમને શ્વાસ લેવામાં કોઈ મુશ્કેલી થઈ રહી નથી, તમારું ઓક્સિજન લેવલ બરાબર છે અને વધુ તાવ નથી તો ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, ન પોઝિટિવ દર્દીએ વધુ દવા લેવી જોઈએ. આ દવાઓ ઉંધી અસર કરે છે અને દર્દીનું સ્વાસ્થ્ય ખરાબ થવા લાગે છે. એમ્સ ડાયરેક્ટરે કહ્યું કે, લોકો વારંવાર લોહીની તપાસ કરે છે જ્યાં સુધી ડોક્ટર ન કહે તો તમે બધુ ન કરો. તેનાથી તમારી ચિંતા વધે છે.
"माइल्ड कोविड केस में आपके बायोमार्कर्स की कोई इंडिकेशन नहीं है" – एम्स, नई दिल्ली के निदेशक, डॉ रणदीप गुलेरिया @PMOIndia @drharshvardhan @AshwiniKChoubey @PIB_India @mygovindia @COVIDNewsByMIB @CovidIndiaSeva pic.twitter.com/uhUGlqgJ5S
— Ministry of Health (@MoHFW_INDIA) May 3, 2021
આ પણ વાંચો : બિલ ગેટ્સે 27 વર્ષ જુના પોતાના લગ્ન જીવનનો અંત લાવવાનો લીધો નિર્ણય
આ સાથે ડો.ગુલેરિયાએ હોમ આઇસોલેશનમાં રહેતા લોકોને તેમના ડોક્ટરનો સંપર્ક ચાલુ રાખવાની સલાહ આપી. સેચ્યુરેશન 93 અથવા તેનાથી ઓછી થઈ રહી છે, બેહોશી જેવી પરિસ્થિતિઓ છે, જો તમને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે, તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.
આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 81.77% લોકો સાજા થયા છે. દેશમાં લગભગ 34 લાખ એક્ટિવ કેસ છે. સંક્રમણના કારણે અત્યાર સુધીમાં લગભગ 2 લાખ લોકોનાં મોત નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,417 મૃત્યુ નોંધાયા છે. તેમણે કહ્યું કે દેશમાં એવા 12 રાજ્યો છે જ્યાં 1 લાખથી વધુ સક્રિય કેસ છે.
આ પણ વાંચો :પેટ કમિન્સે મન બદલ્યુ, હવે નહી કરે ‘PM Cares Fund’ માં દાન
આ પણ વાંચો : બંગાળમાં હિંસા મામલે ભાજપે 5 મેનાં રોજ દેશવ્યાપી પ્રદર્શનની કરી જાહેરાત

