ભારતીયો માટે એક સારા સમાચાર છે. જી હા, પાકિસ્તાનની સરકારે ત્યાંની જેલમાં બંધ ભારતીય કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. સમાચાર એજન્સી ANI અનુસાર રેડિયો પાકિસ્તાનથી મળેલી ખબર અનુસાર પાકિસ્તાનની જેલમાં કેદ 360 ભારતીય કેદીઓને મુક્ત કરવામાં આવશે. કેદીઓને મુક્ત કરવાની શરૂઆત 8 એપ્રિલથી કરવામાં આવશે. પાકિસ્તાને આ નિર્ણય માનવીય આધાર પર લીધો છે.
જણાવી દઇએ કે કેટલાક દિવસ અગાઉ ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય નાગરિકોને મુક્ત કરવા પર પાકિસ્તાન પર સવાલ ઉઠાવ્યા હતા.
Radio Pakistan: Pakistan has decided to release 360 Indian prisoners on humanitarian basis upon completion of their sentences, from next Monday (08 April). pic.twitter.com/KAPirD2NVE
— ANI (@ANI) April 5, 2019
